Archive

Archive for February, 2007

Water Bridge- email courtsey Satish Parikh

February 28, 2007 vijayshah Leave a comment

water-bridge.JPG 

Water Bridge in Germany …. What a feat! Six years,500 million euros,918 meters long…….

now this is engineering!

This is a channel-bridge over the River Elbe and joins the former East and West Germany,
as part of the unification project. It is located in the city of Magdeburg , near Berlin . The photo was taken on the day of inauguration.

To those who appreciate engineering projects…..  

એકવીસમી સદીનું અદભુત માનવ સર્જન નદીનાં પાણી ની ઉપર અન્ય પાણીની નહેર…અને વાહન વ્યવહાર.

નર્મદની શૌર્ય કવિતા-ડો ઇન્દ્રવદન દવે

February 24, 2007 vijayshah 2 comments

poet_narmad.jpg

(ડો ઇન્દ્રવદન દવેનાં વિવેચન-લેખ સંગ્રહ ‘ઉપાસના” માંથી તારવેલુ)

નર્મદ એટલે જીવનભરનો જોધ્ધો. એને શાંત,શાણું, ઠાવકું અને ચીલામાં ઘસડાતુ જીવન પસંદ જ નહિ. એની અહર્નીશ ઝંખના જ અસત્ય સામે , અજ્ઞાન સામે, અપમાનો સામે, સીતમો સામે, ગુલામીનાં બંધનો સામે, રુઢીનાં કિલ્લા સામે યુધ્ધ કરવાની, હારવુ પણ થાકવુ નહિ! પડી પડીને પાછા ઉઠવુ પણ દુશ્મન દફનાવાય નહિ, ત્યાં સુધી યુધ્ધમાંથી કદી પાછા હઠી જવુ નહિ એ એનો જીવન મંત્ર. Read more…

હું પણ જાણું તું પણ જાણે.

કોણ  ખરું  છે  ખોટું  શું છે ? હું પણ  જાણું  તું  પણ  જાણે,
મનમાં કોના  ઓછું   શું છે ? હું  પણ જાણું   તું પણ જાણે.

સૌનું   હસવું   રડવું  સરખું ,  ચઢવું  ને ઓસરવું  સરખું,
તોય   બધામાં  નોખું  શું  છે ? હું પણ જાણું તું પણ જાણે.

ક્યારે  કેવી ચાલ રમાશે   જો   જાણો  તો  જીતશો , બાકી,
ઊંટ, વજીર ને  ઘોડુ શું છે ? હું   પણ જાણું તું પણ જાણે.

દિલ  પર  રોજે   રોજનું  ભારણ , સંબંધો તૂટવાનું કારણ,
ઝાઝું  નહીં તો થોડું શુ છે ? હું પણ  જાણું  તુ  પણ જાણે.

તારો મોભો, માન,પ્રતિષ્ઠા, વૈભવ, કિર્તી સૌ  ર’વાદે,
કાળું  શું છે, ધોળું શું છે ? હું  પણ  જાણું   તું પણ જાણું.

                  મકરંદ -   ગઝલગરિમા-૨૦૦૧

*********************************************

નિરાશા  ભરેલા  સ્વરે શું  કહો  છો ?
તમે જે કહો છો , મને શું કહો છો ?
વહેતી  જતી આ    નદીને  કિનારે,
હતું એક શબ ક્યાં જશે ? શુ કહો છો?

- ”દીપ”

ક્યાંથી હોય -રસેશ દલાલ

February 18, 2007 vijayshah 3 comments

વસ્ત્રો થઈ ગયા ટુંકા, લાજ ક્યાંથી હોય ?
અનાજ થઈ ગયા હાઈબ્રીડ , સ્વાદ ક્યાંથી હોય ?
નેતા થયા ખુરશીના , દેશ દાઝ ક્યાંથી હોય ?
ફૂલો થયા પ્લાસ્ટીકનાં , સુગંધ ક્યાંથી હોય ? Read more…

હાથ ધુએ છે…કિરીટ્કુમાર ગો ભક્ત

February 16, 2007 vijayshah 2 comments

mitra.jpg

 છે એક, શાણો મિત્ર અમારો,
છે, એ અમ સૌથી નિરાલો.

આપવાની ભાડે બુધ્ધિને,
ગ્રહ્યો છે ,ધંધો નિજનો એણે.

ભૂલ કાઢવી સામા જણની,
ધંધાની પૉલિસી એની.

કામ ભલે હો દસ મિનીટનું,
આયોજન એનું સાત દિવસનું.
Read more…

યાદ છે સનમ

imagescawyxw3w.jpg 

વિણેલા વાટમાં મોતી સાથ , યાદછે સનમ,
અધરે  પીધેલા મધુરા  જામ, યાદછે સનમ્.

દિનભર  માણેલી  મહેફીલ ,  યાદછે સનમ,
સાંજે  લધેલ વસ્મી વિદાય,  યાદછે સનમ.

હાથમાં  હાથ   ઝાલી ફરેલા,  યાદછે સનમ,
દુનિયાની  નથી  કરી પરવા, યાદ છે સનમ. Read more…

મને હું મળી.-દેવિકા રાહુલ ધ્રુવ

February 15, 2007 vijayshah 1 comment

નીરવ એકલતામાં મને હું મળી;
સઘળા સગપણથી વિખુટી,મને હું મળી.


કાગળ કલમને વરેલી,મને હું મળી;
માયાના મેળામાં ભૂલી પડેલી,મને હું મળી.


ઘડી-કાંટાના જંગલમાં ખોવાયેલી,મને હું મળી;
શબ્દોની વનરાઈમાં વીંટળાયેલી,મને હું મળી.

WHAT IS MARRIAGE??? -E mail courtsey Fateh ali Chatur

February 15, 2007 vijayshah 6 comments

marraige.jpg 

1. Marriage is not a word. It’s a sentence (a life sentence).
2. Marriage is love. Love is blind. Therefore marriage is an institution for the blind.

3. Marriage is an institution in which a man loses his Bachelor’s Degree and the woman gets her masters.

4. Marriage is a three-ring circus: engagement ring, wedding ring and suffering. Read more…

ઉપેક્ષા- સરયુ પરીખ

February 11, 2007 vijayshah 2 comments

sukayela-pan.jpg 

ભૂલેલા કોલ અને ભારી કોઇ ભૂલ
નીકળેલા બોલ અને અધખીલ્યા ફૂલ
પ્રેમનીર વિના તરસ્યા રહી જાય
પીળા પાન પછી લીલા ના થાય

Read more…

આધુનિક યુગનાં પુણ્યો – મીનાક્ષી ચંદારાણા

February 9, 2007 vijayshah 2 comments

( વાપી થી શ્રી ગોપાલ પરીખે આ લેખ ટાઇપ કરીને મોકલ્યો તે બદલ તેમનો આભાર.) 

આપણાં શાસ્ત્રો-પુરાણોએ જુદા જુદા ગ્રંથો દ્વારા આપણને પાપ-પુણ્યની વિભાવના આપી છે. જેમ કે ગરીબ(વંચિતો), ગાય (સમૃધ્ધિનો સ્ત્રોત), અને બ્રાહ્મણ(વિધા આપનાર) ને ખવડાવવું તે પુણ્ય. બિલાડી જેવું બિન-ઉત્પાદક પ્રાણી પણ ગુસ્સામાં તો નહીં, ભૂલેચુકે પણ આપણાથી મરી જાય તો સોનાની બિલાડીના મૂલ્યનું પાપ. પર્યાવરણની જાળવણી માટે કેવો સરસ ઉપાય ! આવા ઘણા નિયમો હતા, જેને અનુસરીને સામાન્ય માણસ પાપબોધથી બચી શકે, દરેક વ્યકિતને સારી રીતે જીવન જીવવા માટે એક સરળ માળખું મળે અને સમાજમાં સૌની સગવડ સચવાય. પરંતુ શું એ માળખું આજના યુગમાં પણ પ્રસ્તુત છે? Read more…