Archive

Archive for the ‘કાવ્ય રસાસ્વાદ’ Category

એક સુંદર મુકતક..

meerabai_qi21_l 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

તારીખના જ્યાં જ્યાં લખાણો હોય છે

ત્યાં એક તરફા કાં વિધાનો હોય છે?

હો એકનો શૂરવીર, દોષી અન્યનો

શું સત્યના પણ બે પ્રકારો હોય છે?

 હિમાંશુ ભટ્ટ (c) ૨૦૦૯

કવિનું આ સુંદર મુકત વાંચતા લાગે કે સત્યના બે પ્રકારો હોય શકે ખરા? ત્યાં કવિએ પ્રશ્નાર્થ મુકી દીધો છે.ને વાંચકો પર છોડી દીધું છે. પણ ઈતિહાસ, ભુતકાળમાં નજર નાંખો..તો જે હિટલરને જગતના ઘણાં વ્યક્તિ નફરતથી જુએ! પણ બીજા દ્ર્ષ્ટિઅકોણથી જુઓ તો જર્મન દેશમાં એમને પ્રત્યે કુણી લાગણી જોવા મળે! એજ રીતે આપણાં પુરાણ પુસ્તક”રામાયણ”માં રાવણનું પાત્ર ને દરેક વ્યક્તિ જુદી, જુદી દ્રષ્ટિથી જુએ છે..પણ સત્યને કઈ નજરથી નિહાળો એની પર આધાર છે..સત્યતો સત્ય છે..પણ એને સમજવું, જાણવું લોખંડના ચણા ચાવવા સમાન છે..
-વિશ્વદીપ

આંબે આવ્યા મ્હોર !- ડો. દિનેશ ઓ.શાહ.

September 3, 2007 vijayshah 15 comments

untitled.jpg              

               કોણે વાવ્યા’તા વૃક્ષ  કેરીના, કોણે નાખ્યા’તા ખાતર ખોર ?
               કોણે સિંચ્યા’તા નીર બપોરે, ભર ઉનાળે નાચ્યા’તા મોર !
               આજ મારે આંબે આવ્યા મ્હોર !

               હરખે મલકે કેરિયું નાની, ઝુલે ડોલમ ડોલ
               એની સુગંધનો દરિયો ઉછળે, આજે છોળમ છોળ !
               આજ મારે આંબે આવ્યા મ્હોર !
Read more…

જેટલો મોટેલનો વિસ્તાર છે- અદમ ટંકારવી

March 28, 2007 vijayshah 4 comments

adam-tan-karavi.JPG

જેટલો મોટેલનો વિસ્તાર છે
એટલો આપણો સંસાર છે

આ અમેરિકાનો જય જયકાર છે
એની થુલી પણ હવે કંસાર છે

આપણો તાળો નથી મળતો પટેલ
એક પટલાણી ને સપના ચાર છે Read more…

શબ્દો જ કંકુને ચોખા… મનોજ ખંડેરીયા

March 25, 2007 vijayshah Leave a comment

વાત આજે માંડવી છે જુનાગઢના રેશમી શાયર..શ્રી મનોજ ખંડેરિયાની, કઠોરમાં કઠોર વાતને પણ એ શાયરે નાજૂકાઇથી જ કાયમ મૂકી આપી છે અને તે પણ સંપૂર્ણ અસરકારક રીતે..

બીજુ એ કે, Corporate Worldમાં કે Managementની વાતોમાં જે Core Competencyની વાતો થઈ છે..જે મુજબ કંપનીએ પોતાના Main Business પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ..બહુ દિશાઓમાં પ્રયત્નો કરીને effort dilute ના કરવા જોઇએ…એ વાતને આ શાયરે પોતાની જીંદગીમાં ઉતારી..માત્ર ગઝલનો જ કાવ્ય પ્રકાર ખેડીને..અને એમાં એમણે હાંસલ કરેલી ઉંચાઈઓ તો મારી તમારી નજર સામે જ છે.. Read more…

કિસ્સો-મુકુલ ચોકસી

March 18, 2007 vijayshah 6 comments

કિસ્સો કેવો સરસ મઝાનો છે,
બેઉં વ્યક્તિ સુખી થયાનો છે.
પલ્લું તારી તરફ નમ્યાનો તને;
મુજને આનંદ ઊંચે ગયાનો છે !

આ મુક્તક ડો ધવલ શાહની વેબ્સાઇટ લયસ્તરો પર વાંચ્યુ અને કલમ જોરમાં આવી. મુકુલ ચોક્સી સરસ લખે છે તે તો સર્વવિદીત છે પણ આ મુક્તક વાંચતા એવુ થયું કે Read more…

કન્યા-વિદાય -અનિલ જોશી

March 2, 2007 vijayshah 5 comments

પાદર બેસી ફફડી ઉઠતી
ઘરચોળાની ભાત,
ડૂસકે ડૂસકે હડસેલાતી
બાળપણાની વાત; Read more…

કાનુડાની રીત-વિજય શાહ

March 1, 2007 vijayshah 3 comments

ઉલઝતો રહ્યો છું નિશદિન
કે ક્યારે ચોરાયું હતું મારું ચિત્ત.
શોધુ હું એ કાનુડાની રીત
કે જેને રાધા કહે હૈયાની પ્રીત.

જ્યારે મનનાં માનેલ મીતનુ પ્રેમાળ હકારત્મક ઇજન મળ્યું હોય અને શરદ પુનમની રઢીયાળી રાતમાં યૌવન હીલોળે ચઢ્યું હોય ત્યારે Read more…

ઉપેક્ષા- સરયુ પરીખ

February 11, 2007 vijayshah 2 comments

sukayela-pan.jpg 

ભૂલેલા કોલ અને ભારી કોઇ ભૂલ
નીકળેલા બોલ અને અધખીલ્યા ફૂલ
પ્રેમનીર વિના તરસ્યા રહી જાય
પીળા પાન પછી લીલા ના થાય

Read more…

વિશ્વશાંતિ-દેવિકા રાહુલ ધ્રુવ

December 24, 2006 vijayshah 2 comments

આતમે ઓઢેલ કાયાનાં વાઘામાં
ઇશ્વરનો અંશ જરા સમજી તુ લે

મનને વરેલા વિચારોનાં પિંછામાં
ઉંચેરી આશા ઉમેરી તુ લે

દિલને વીંટેલા આ માયાનાં વીંટામાં
સાચુકડી પ્રીત જરા વણી તુ લે Read more…

“કાલે નહી ઉગવાનો સુરજ”-અજ્ઞાત

December 4, 2006 vijayshah 1 comment

તો ચાલો
બહાર ઉભેલી ભીડને કહીયે કે
ઇસુ હવે મરી ગયા છે,
ગાંધી હવે મરી ગયાછે
જેથી તેઓ એકબીજાની વેદના ચાહવા માંડે
અને એક બીજાનાં ઘા પંપાળવા માંડે
અને
કાલે નહી ઉગવાનાં સુરજની રાહ જોવામાં
આજની રાતના બગાડે Read more…