Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જુલાઇ, 2007

ના ચાડીયા જેવો ના પાળિયા જેવો:
ક્ષિતિજ પાર ના ગામડીયા જેવો.

પ્રેમનો રંગ ભગવો કે સિંદુરી!
રાધા ને મીરાંના શામળીયા જેવો.

એને કહેવાય લાજવાબ પત્ર-
સાવ કોર કોર કગળિયા જેવો.

સૂરજ મેળવે સમય પાસેથી
રોકડો એક દિવસ દાડિયા જેવો.

ૐ શ્રીસવા, શ્રીલાભ, શ્રીશુભ જેવી તું-
ને તારા ઘરનો રસ્તો સાથિયા જેવો.

કવિનાં કાવ્ય સંગ્રહ ‘મારા હ્રદય નો અનુવાદ’ માંથી
સંકલન: કીરીટ ગો. ભક્ત

Read Full Post »

       શબ્દ

        કક્ષ

  અર્થસમૂહ

  1. પાસુ,પડખુ
  2. વનનો અંતર્ભાગ
  3. બગલ,કાખ
  4. સૂકું ઘાસ
  5. સ્ત્રીનો કંદોરો
  6. ગ્રહનો ભ્રમણ માર્ગ (વધુ…)

Read Full Post »

Read Full Post »

અક્ષરને ઓળખ્યા વિના રે,

                નિરક્ષરતા નહિ રે મટે રે જી (2)

આ.. નિરક્ષરતા ટાળ્યા વિના રે,

                પુસ્તક કેમે વાંચી શકાયે રે (2) …    અક્ષરને..

આ.. અભણ ને જ્ઞાની રંગે રુપે એક છે રે જી (2)

                એ તો વાચન થકી વર્તાય રે (2) …  અક્ષરને ….

આ.. અજ્ઞાની ને જ્ઞાની રંગે રુપે એક છે રે જી (2)

                એ તો વાણી થકી વર્તાય રે (2)   

અક્ષરને…આ.. નિરક્ષરને અક્ષરો રંગે રુપે એક છે રે જી (2)  

              એ તો ભણ્યા પછી ઓળખાય રે (2) … અક્ષરને…

આ.. કોઇ કહે પાકે ઘડે કાંઠા કેમ રે ચઢે રે જી (2)

                કનુ કહે અનુભવે જણાય રે (2) …   અક્ષરને…

 

Read Full Post »

amane-sainikone.jpg

અમને, યુધ્ધમાં મરેલા સૈનિકોને
ચાંદ કે ઇલ્કાબ આપશો નહિ.
રાષ્ટ્રભાષાનાં ગીતો ગાજો
પણ રાષ્ત્રધ્વજો ફરકાવશો નહિ.
પરેડ કરાવશો નહિ, બંદૂકો ફોડશો નહિ.
અને અમે જે લોહી રેડ્યાં છે
તેને તમે સૌ યોગ્ય બનજો
અને દેશને સદા વફાદાર રહેજો
જયહિંદ: જય જવાન

તાજેતરમાં બહાર પડેલ તેમનુ પુસ્તક “વન વગડાની વાટે વાટે” માંથી સાભાર્

Read Full Post »

gandhi_bw.gif   

આ કાવ્ય ત્રણ અલગ અલગ સમયે અલગ અલગ સંદર્ભ માં લખેલું છે. આજે લગભગ 13 વર્ષ બાદ પણ આ કાવ્ય આજના સમય સાથે સચોટપણે એટલુંજ બંધ બેસતું છે.

(1)

 ગાંધીનું ગુજરાત ભાઇ આ ગાંધીનું ગુજરાત,

દારુબંધી દાખલ કરી છે, લોકોના સુખ કાજ. .. આ ગાંધીનું ગુજરાત.

 

અમલ કેવો કડક ચાલે લોકોના સુખ માટે,

ગામેગામ ને ઘેરેઘેર દારુભઠ્ઠી ચાલે આજ. .. આ ગાંધીનું ગુજરાત. (વધુ…)

Read Full Post »

gallery061.jpg

હ્યુસ્ટન એ એક અમેરિકાનું મહ્ત્વ અને  ગૌરવશાળી  શહેર છે. જ્યાં  અમેરિકાનું મુખ્ય કેન્દ્ર નાસા સેન્ટર અને એમા આપણાં  કમલેશભાઈ લુલા   તેમાં  નાસામાં વૈજ્ઞાનિક તરીકે ઊચ્ચ પદવી ધરાવે છે તે પણ આપણી માતૃભાષાના તેમજ ગૌરવશાળી ગુજરાતના પ્રેમી છે, સાથો સાથ હ્યુસ્ટનમાં ચાલતી”ગુજરાતી સાહિત્ય સરિતા”ની સંસ્થા દરમહિને મળે છે અને તેમાં ચાલીશથી પણ વધારે સાહિત્ય રસિકો ભાગ લે છે. દર વખતે જુદા જુદા વિષય પર લખવાનું તેમાં પછી ગઝલ, કવિતા કે લેખ હોય. એ બેઠકમાં દરેક પોતાની કૃતી રજૂ કરે અને એમાં જે સાહિત્યની મહેફિલ જામે, અને જુદી જુદી કૃતીનો આસ્વાદ, સૌ ભાવ-વિભોર બની જાય! ગુજરાત અહીં છે તે જાતની ભાવના તમને જરુર જોવા મળે. જુન-૦૭માં કવિયત્રી દેવિકાબેન ને ત્યાં આ બેઠક મળેલ અને વિષય હતો” સમય” . આ વિષય તો બહુજ બહોળો, જેટલું લખવું હોય તેટલું લખી શકાય.
દરેકે પોત પોતાની રચના રજૂ કરેલ.એમાની એક રચના મે જે રજૂ કરી હતી તે આપની સમક્ષ રજૂ કરુ છું , આશા છે કે આપ સૌને ગમશે.

***********************************************

સમયના રથને દોડવા દે!
      મને થોડી તો મજા માણવા દે,
              સમયના રથને..

સમય પારખી  નીકળ્યો નગરમાં,
   કોણ છે સ્વજન, દ્વાર એના ઠોકવા દે,
                સમયના રથને..
બળીને રાખ  થઈ જશે  આકાશ-ગંગામાં,
      એ સૂરજને અંજલી આજ દેવા દે,
                સમયના રથને..

માપ દંડ ક્યાં છે? રહે  બ્રહ્માંડમાં,
    અંશનો સો ભાગ!મને હવામાં ઉડવાદે,
                 સમયના રથને..

જીવન-નૈયાને ભળવાદે ભવ-સાગરમાં,
         તણાખલું બની, થોડું તરવા દે,
                  સમયના રથને..

જીવી ગયો છું એનાજ કાળ-ચક્રમાં,
     નિકટ છે મોત, એની  મજા માણવા દે,
                    સમયના રથને..

‘દીપ” સમય નથી એને બુઝવામાં!
           છેલ્લે ચાર કાંધીયાને મળાવા દે,
                     સમયના રથને..

– વિશ્વદીપ બારડ
        

Read Full Post »

ગુજરાતી સાહિત્ય સરિતાનાં ઉપક્રમે શરુ થયેલ ગઝલો લખતા શીખવાનાં તાલિમ વર્ગો..

મહિનામં બે વખત હ્યુસ્ટનની ‘વિશાલા’ હોટેલમાં એક ખુણાનાં ટેબલ ઉપર સફેદ દાઢી અને પડછંદ અવાજે વાતો કરતા જો કોઇ સજ્જન દેખાય તો તે હશે જનાબ અબ્દુલ રઝાક ‘રસિક’ મેઘાણીનો ગઝલ સર્જનનો તાલિમ વર્ગ.. ચાલો તે વર્ગની ટુંકી અને નિયમીત સફરે તમને લઇ જાઉં.

વર્ગ 1
(24 જુન 2007)

પદ્યની રચના એટલે વાણી જ્યારે કાવ્યનું પ્રયોજન સિધ્ધ કરવા અમુક લયવાળુ સ્વરુપ લે તેને પદ્ય કહેવાય.વાણી શબ્દોની અને શબ્દો અક્ષરથી બને છે.જેમાંથી અર્થ સર્જાય છે. (વધુ…)

Read Full Post »

images1.jpg
The city of
Bombay originally consisted of seven islands, namely Colaba,  Mazagaon, Old Woman’s Island, Wadala, Mahim, Parel, and Matunga-Sion. This group of islands, formed part of the kingdom of King Ashoka, which have since been joined together by a series of reclamations.After his death, these islands passed into the hands of various Hindu rulers until 1343. In that year, the “Mohammedans” of Gujarat took possession and
the Kings, of that
province of India
ruled for the next two centuries. The only vestige of their dominion over these islands that remains today is the mosque at Mahim. Who tore everything down? The Portuguese/British perhaps? Post partition anti-muslim mobs perhaps?In 1534 the Portuguese, who already possessed many important trading centers on the western coast, such as Panjim (Goa), Daman, and Diu, took Bombay
(વધુ…)

Read Full Post »

e-gujarati.gif

ગુજરાતી સાહિત્ય સરિતાનાં શ્રી કીરિટ ભક્ત અને વિશાલ મોણપરા એક સાંજે કોઇ કામ અંગે બેઠા હતા અને તેમની ચર્ચામાં વિષય આવ્યો જગત દાદાનો. જગત દાદા ખેડૂત અને તેમનો કાંતી મોટેલમાં સારુ એવુ કમાતો અને સ્થીર થયેલ અને તેના પુત્ર હીરેન અને પુત્રી રાધાને ગુજરાતી શીખવવા જે દોશી સાહેબ આવે તેને અને રાધાને વાતચીતમાં સમજણ ન પડે. ગામથી જગતદાદા આવ્યા ત્યારે દોશી સાહેબને પડતી તકલીફોનો ઉકેલ જગત દાદાએ જે આપ્યો તે વિચારતા કીરિટભાઇને લાગ્યુ કે ગુજરાતી ભારત બહાર કાંતી જેવા કંઇ કેટલાય કુટુંબો છે તેમના બાળકો ભાષા સમજી નથી શકતા તેનુ કારણ શિક્ષણ પધ્ધતિ છે. અમેરિકન પધ્ધાતિ પ્રમાણે જો ગુજરાતી શીખવાડાય તો કેવુ? અને તે વિચારે જોર પકડ્યુ.. (વધુ…)

Read Full Post »

Older Posts »