2011 in review
The WordPress.com stats helper monkeys prepared a 2011 annual report for this blog.
Here’s an excerpt:
A New York City subway train holds 1,200 people. This blog was viewed about 5,300 times in 2011. If it were a NYC subway train, it would take about 4 trips to carry that many people.
ગુજરાતી સાહિત્ય-સરિતા અહેવાલ-૧૧૬ NOV.6TH,2011


હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતા વેગ પકડતી આગળ ધપી રહી છે.દિવાળી અને નવા વર્ષની ઉજવણી સહ સાહિત્ય સરિતાની ૧૧૬મી બેઠક યજમાન રેખાબેન અને વિશ્વદિપભાઈ બારડ ત્યાં યોજવામાં આવી હતી. બેઠક નો સમય સાંજના ચાર થી સાતનો રાખવામાં આવ્યો હતો. દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા સાથે યજમાન દંપતિએ સૌનું ભાવભીનુ સ્વાગત કર્યું.
સૌ પ્રથમ “બનવારી રે…જીનેકા સહારા તેરા નામ રે! ના સુંદર ભજન શ્રીમતી રેખાબેનના સ્વરે ગવાયાબાદ શ્રી વિશ્વદીપે આજની બેઠકનું સુકાન હેમાબેન પટેલને આપ્યું. પહેલીજ વખત સભાનુંસંચાલન કરનાર હેમાબેન પણ પૂર્ણ તૈયારી સાથે આવ્યા હતાં.સમયને લક્ષમાં રાખી એક પછી એક વક્તાના ટૂંકા પરિચય સાથે બેઠકની શુભ-શરૂઆત કરી.
સૌ પ્રથમ ગુજરાતી સાહિત્ય સરિતાનાઅગ્રગણી વડીલ અને આદરણિય શ્રી ધીરૂભાઈ શાહે પ્રાચીન કવિઓ વિશે વાત કરી જેઓ અમદાવાદમાં ચાની હોટેલમા ભેગા થતાં અને ચા નો કપ પીતાં પીતાં કવિતા સર્જનની વાતો કરતાં. સાથે સાથે નાનકડી બે હાસ્ય કથાઓ સંભળાવી.
શૈલાબેન મુન્શાએ એમની ગઝલ “મંઝિલ”સંભળાવી
“રેખા હથેળી ની બદલતી નથી કોઈ મંઝિલ”
ના હો હથેળી તોય બસ સલામત મંઝિલ.”વિજયભાઈ શાહે સાહિત્ય સરિતાની સિધ્ધીઓ વિશે વાત કરી. દેવિકાબેનનું નામ સહુથી વધુ વંચાતા બ્લોગમાં પહેલા ૨૫ મા છે અને પ્રવિણાબેન ટુંક સમયમા એમની ૧૦૦૦મી કૃતિ એમના બ્લોગ પર મુકશે. સાથે સાથે ઘણા મિત્રો દ્વારા લખાતી નવલકથા હવે ઈ બુક તરીકે બુક ગંગા પર વંચાશે. આપણી સાહિત્ય સરિતા માટે આ એક બહું મોતી સિદ્ધી અને ગૌરવની વાત છે.સાહિત્યના દોર અને સમયની સાથે ચાલનાર હેમાબેન કાર્યક્રમમાં વિવિધતા રૂપે સાહિત્ય સાથે સંગીત-ગીતની રજુઆતમાં
ભારતીબેન દેસાઈને ગીત ગાવા આમંત્ર્યા..તેમણે તેમના સુંદર સ્વરે એક ગરબો…“નવદાડા ના નોરતાં રે!” લોકગીત પોતાના મધુર ને દમદાર અવાજે ગાઈ સંભળાવ્યું. સહુ શ્રોતાજને એમા સુર પુરાવી વાતાવરણ સંગીતમય બનાવી દીધું.
હેમંતભાઈ ગજરાવાલાએ એપલ કોમ્પ્યુટર નુ નામ કેવી રીતે પડ્યું તે એલન તુરિન વિશે ઘણી રસપ્રદ માહિતી આપી.
પ્રકાશભાઈ મજમુદારે શ્રી કૈલાશ પંડિતે લખેલી અને મનહર ઉદાસે ગાયેલી ગઝલ
“ચમન તુજને સુમન મારી જ માફક છેતરી જાશે” પોતાના મધુર કંઠે સંભળાવ્યુ.
વિશ્વદિપભાઇ બારડે જીવનનું કટુ સત્ય રજુ કરતી લખુવાર્તા “મારા દાદા” સંભળાવી એક કરૂરસમાં ઝબોળી દીધા.
સપના બારડે એક નાનુ મુક્તક રજુ કર્યું.
“બીત ગઈ જો સાલ ઉસે ભુલ જાઈએ,
ઈસ નયે સાલકો ગલે લગાઈએ.
ડો. ઈન્દુબેન શાહે “દિવાળી આવી શું શું લાવી” કાવ્ય દ્વારા બાળ-ફરિયાદ રજુ કરી.
ઈન્દ્રવદનભાઈ ત્રિવેદી એ “હે જનની જણજે દાતા કાં શુર” ગીત ભાવવાહી સ્વરે ગાઈ સંભળાવ્યું.
અનસુયાબેન બારડે “તું શું કરે વિચાર, તારે આજ જાઉં કે કાલ” ભજન સંભળાવ્યું.
રસેશભાઈ દલાલે આપણા મુર્ધન્ય કવિ શ્રી ઉશનશ જેમનુ હાલમાં જ ૯૧ વર્ષની વયે અવસાન થયું, એમનુ બહુ જાણીતું કાવ્ય મોક્લાવ્યું હતું જે વિશ્વદિપભાઈ એ શ્રદ્ધાંજલી સહ વાંચી સંભળાવ્યું.
“તારા દુર દુરના પ્રવાસે નીકળ્યો હતો એ પ્રુથ્વી”
ભારતીબેન મજમુદારે (સીનીયર) એ પતિદેવોની ખાસિયત વિશે વાત કરી.
હસમુખભાઈ પટેલે દુનિયામાં થતી ઉથલ પાથલ અને ઉઠતા અનેક સવાલો પર પોતાનુ મંતવ્ય રજુ કર્યું.
વિનોદભાઈ પટેલ જે પોતે પણ ખુબ જાણીતા ચિત્રકાર છે, એમણે ભારતના આધુનિક ચિત્રકારો ની શ્રેણીમા લગભગ ૩૦ કલાકારો વડોદરાના અને મોટાભાગના પદ્મશ્રી કે પદ્મવિભુષણ થી નવાજિત વિશે વાત કરી અને ચિત્રકાર કે.જી. સુબ્રમણ્યમ જે કેરળમા જનમ્યા હોવાં છતા ગુજરાતના થઈને રહ્યાં ને વડોદરા યુનિવર્સીટીના ડિન તરીકે પોતાની સેવા આપી ની વાત કરી.
પ્રશાંતભાઈ મુન્શા હમેશ પોતાના કલેક્શન માં થી સરસ શાયરી સંભળાવે. આ વખતે પણ બે શાયરી રજુ કરી.
નીતિનભાઈ વ્યાસે એક બે રમુજી પ્રસંગો સંભળાવ્યા.
અશોકભાઈ પટેલે એક મુક્તક સંભળાવ્યું. “નગરમાં હાહાકાર મચી ગયો”
ગુજરાતી સાહિત્ય સરિતાના નવા સંચાલક તરીકે સતીશભાઈ ની નિમણુક થઈ. છ મહિના માટે સરિતાનુ સુકાન એ સંભાળશે.
નવેમ્બર માસમાં જે કવિ મિત્રોની વર્ષગાઠ આવે એ સૌ મિત્રોને શુભેચ્છા …તુમ જીઓ..હાજારો સાલ..ગીત ગાઈ ,સુંદર શુભેચ્છા વ્યકત કરી…૯૧ વર્ષની ઉંમરના આંગણે આવેલ શ્રી ધીરૂભાઈ હજુ પણ એક યુવાનને શરમાવે એવી સ્ફ્રુતિ ધરાવનારને એમના સુખી અને તંદુરસ્તી વિશે માહિતી આપી..કહે છે…”ઓછું ખાવ..કસરત કરો, રોજ નિયમિત ચાલવાનું રખો અને મન હંમેશા ખુશ રાખો..હસતા રહો..”
અંતમાં રેખાબેન અને વિશ્વદિપભાઈનું આતિત્ય માણી સહુ છુટા પડ્યા. દિવાળી બાદની આ પહેલી બેઠક હોવાથી યજમાન દંપતિ એ છોલે, પરાઠા, ખમણ ચટણી ને ખીર ખવડાવી સહુને તૃપ્ત કર્યા.
અસ્તુ
શૈલા મુન્શા. તા૧૧/૧૫/૨૦૧૧.
આરક્ષણ – રવિ પટેલ
બે વર્ષ અમેરિકામાં અભ્યાસ માટે રહ્યા બાદ હું ઉનાળુ વેકેશનમાં બે મહિના માટે અમદાવાદની મુલાકાતે આવ્યો હતો. અમેરિકાના અનુભવોથી મારામાં ઘણો મોટો માનસિક બદલાવ આવ્યો હતો. જ્યારે વિમાન અમદાવાદની ધરતીને સ્પર્શ્યું ત્યારે રાત્રિના આઠ વાગ્યા હતા. ભરઉનાળે અમદાવાદમાં પગ મૂકવાનું મારા માટે જરા આકરું થઈ પડ્યું હતું. શરૂઆતના બે અઠવાડિયા તો હું ક્યાંયે બહાર ન નીકળ્યો કારણ કે ગરમી અને હવાફેરને કારણે બીમાર પડવાની પૂરી શક્યતાઓ હતી. આમ છતાં, અંદરોઅંદર પરિવારજનોને પૂરા બે વર્ષ પછી મળવાનો આનંદ તો હતો જ.
આમ તો હું કોઈના ઘરે રહેવા જવાનું ટાળતો હતો પરંતુ અમારા સ્મિતાકાકીના અત્યંત આગ્રહને વશ થઈને મારે થોડા દિવસો બાદ એમના ઘરે રહેવા જવું પડ્યું. સ્મિતાકાકીનું ઘર દસ માળના ગગનચૂંબી એપાર્ટમેન્ટમાં હતું. એ એપાર્ટમેન્ટમાં હું રોજ સવારે એક છોકરીને કચરો સાફ કરતાં જોતો. એનું નામ ગીતા હતું. છેક દસમા માળેથી શરૂ કરીને એપાર્ટમેન્ટના ટાવરની ચારેબાજુનો વિસ્તાર એ બરાબર સાફ કરતી. રોજ સવારે છ થી તે છેક દસ વાગ્યા સુધી તે આકરી મહેનત કરતી. વળી, એટલું ઓછું હોય તેમ આટલું કામ કર્યા બાદ તે ઘરે-ઘરે કચરો લેવા જતી. આ તનતોડ મહેનત માટે એને મહિને એક હજાર રૂપિયા મળતા હતા.
એક દિવસે સવારે હું મોડો ઊઠીને જરા આરામ ફરમાવતો ટીવી જોતો હતો અને તે આવી. મને નવાઈ લાગી કારણ કે તે થોડા સમય પહેલા જ કચરો ઉઘરાવીને ગઈ હતી. એ ફરીથી કેમ આવી હશે એમ હું વિચારતો હતો ત્યાં જ એણે સ્મિતાકાકીને પૂછ્યું : ‘બેન, કંઈક ખાવાનું પડ્યું હોય તો આપશો ? બહુ ભૂખ લાગી છે. આજે હું મારા ઘરેથી કંઈ નથી લાવી.’ ગીતાના આવા સવાલથી હું ચોંકી ઊઠ્યો. મને થયું કે માણસને જે વસ્તુ સરળતાથી મળી જતી હોય, એની એને કિંમત નથી હોતી. આપણા માટે જમવાનું કામ કેટલું સરળ છે ! ઘણીવાર તો આપણે ન ભાવતી વાનગી હોય તો અન્નનું અપમાન પણ કરીએ બેસીએ છીએ. પરંતુ આ લોકો માટે તો ખાવાનું મળે એ જ કેટલી મોટી વાત હોય છે ! આપણા જેવા રજવાડી શોખ એમને ક્યાંથી હોય ? ગમે તેમ પણ મને ગીતા પર દયા આવી. ટીવીમાંથી ધ્યાન બાજુ પર હટાવીને હું એ જોવા લાગ્યો કે કાકી હવે શું કરે છે. કાકીએ તેને કહ્યું :
‘જરા બે મિનિટ ઊભી રહે, રસોડામાં જોઈને કહું.’
સ્મિતાકાકીનો સ્વભાવ આમ પાછો દયાળુ. રસોડામાં જઈને એમણે જોયું તો ત્રણ ભાખરી વધેલી. એમણે વધેલી ભાખરી હાથમાં પકડીને ઉપરના માળિયામાંથી પેપરડિશ કાઢી. મને મનમાં થયું કે શું કાકીના ઘરમાં સ્ટીલની ડિશ નહીં હોય ? એમણે પેપરડિશમાં ત્રણ ભાખરી અને અથાણું આપ્યા. મારા માટે જે ચા મૂકેલી એમાંથી થોડી વધેલી ચા એમણે થર્મોકોલના કપમાં ભરી અને ગીતાને આપી. ગીતા ચા-નાસ્તો કરીને પ્રસન્નતાથી વિદાય થઈ પછી મેં કાકીને પૂછ્યું :
‘હેં કાકી, તમે ગીતાને સ્ટીલના વાસણમાં નાસ્તો કેમ ન આપ્યો ?’
કાકીની મુખમુદ્રા થોડી બદલાઈ. કમને જવાબ આપતાં બોલ્યાં : ‘એ તો આ ટાવરમાં કચરો વાળે છે. એને સ્ટીલના વાસણમાં આપીએ તો વાસણ ખરાબ થઈ જાય.’
‘અરે કાકી, પણ સ્ટીલના વાસણ ધોઈ નાખો પછી શું ? એ તો ચોખ્ખા થઈ જાય ! જે વ્યક્તિ તમારા ટાવરની ગંદકી સાફ કરે છે, એની સાથે તમારો આવો વ્યવહાર ?’
‘એ તો આ લોકો સાથે એમ જ હોય. એમને બહુ ઘરમાં ન બેસાડાય, ઘર અભડાઈ જાય. એમની વસ્તુ ન અડકાય.’
‘પરંતુ કાકી, એના શરીરમાં વહેતા લોહીનો રંગ શું જુદો છે ? એ શું સમાજમાં રહેવાને લાયક નથી ? એમાં એનો શું વાંક છે. એ મજબૂરીથી સફાઈનું કામ કરે એટલે શું એ ખરાબ છે ?’
આ પ્રસંગથી મને ખૂબ દુઃખ થયું. મને એ વાતની ખાતરી થઈ કે હજુ આપણે ત્યાં અમુક કોમની વ્યક્તિઓને ખૂબ સહન કરવું પડે છે. ખાસ કરીને નિમ્નકૂળની વ્યક્તિઓ સાથે આવા તો લાખો પ્રસંગો બનતા હશે. ગીતાને આંખ સામે રાખીને અનેક ગરીબોના જીવનની આ હાલત વિચારતાં મારી આંખમાં આંસુ આવી ગયાં. ગાંધીજી શા માટે સફાઈનું કામ કરતાં હતાં એ વાત હવે મને સમજાઈ. આ પ્રકારના વ્યક્તિઓ માટે તેમણે ‘હરિજન’ શબ્દ શા માટે વાપર્યો હતો એ પણ ખ્યાલ આવ્યો. ડોક્ટર ભીમરાવ આંબેડેકરે અનામતનો કાયદો સંવિધાનમાં શા માટે ઉમેર્યો તે આ ઘટના પરથી વધારે સ્પષ્ટ થયું. આજે કદાચ આ આરક્ષણની પદ્ધતિનો દૂરઉપયોગ થતો હશે, પરંતુ મને લાગે છે કે સો માંથી પચાસ ખરેખરી જરૂરિયાતવાળાને પણ જો એનાથી સુયોગ્ય જીવનધોરણ પ્રાપ્ત થતું હોય તો આ કાયદો સફળ છે. હા, એનો ખોટો ઉપયોગ ન થાય એ પણ એટલું જ આવશ્યક છે. નરસિંહ મહેતાથી લઈને ગાંધીજી સુધીના મહાપુરુષોએ દૂરંદેશી અને દીર્ઘદષ્ટિ વાપરીને જો આવું થોડુંક પણ કાર્ય આ લોકો માટે ન કર્યું હોત તો સમાજના ઉચ્ચ વર્ગોએ તો આ લોકોને પૂરેપૂરા કચડી નાખ્યાં હોત. સાચા અર્થમાં જો આ વ્યવસ્થાનો લાભ સમાજના શ્રમજીવી વર્ગને પ્રાપ્ત થાય તો ગીતા જેવા અનેક લોકોનું જીવન વધારે ઊજળું બને.
[સત્યઘટના પર આધારિત કૃતિ By રવિ પટેલ……. આ સરનામે ravipatel122788@gmail.com સંપર્ક કરી શકો છો.]
ગુજરાતી સાહિત્ય સરિતા બેઠક-૧૧૫ અહેવાલ લેખન શૈલા મુન્શા


***********************************************************************
ઓક્ટોબર ૧-૨૦૧૧ ગાંધી જયંતિ ના શુભ દિને શ્રી મુકુંદભાઈ ગાંધી ના નિવાસ સ્થાને સાહિત્ય સરિતાની ૧૧૫મી બેઠકનુ આયોજન કરવામાં આવ્યું હતું. આનંદની વાત એ છે કે હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાનો દશાબ્દિ ઉત્સવ માર્ચ અને મે મહિનામાં “હુંરિટાયર્ડ થયો” નાટકની ભવ્ય સફળતા બાદ થોડો વિશ્રામ લીધા બાદ સાહિત્ય સરિતાની આ પહેલી બેઠક યોજાઈ જેમા લાંબી આતુરતા બાદ બહોળી સંખ્યામાં શ્રોતાજન અને કવિજને હાજરી આપી.એ હ્યુસ્ટનની સાહિત્યપ્રેમી પ્રજાનો ઉત્સાહ બતાવે છે.
જોગાનુજોગ નવરાત્રિ અને ગાંધી જયંતિ સાથોસાથ હોવાથી વિવિધ વાનગીઓ નો રસથાળ કવિ મિત્રો પાસેથી માણવા મળ્યો.
કાર્યક્રમ ની શરૂઆત હેમંતભાઈ ભાવસારે દેવિકાબેન રચિત પ્રાર્થનાથી કરી જે સંગીતે નિષ્ણાંત હેમંતભાઈએ જાતે કમ્પોઝ કરી છે રાગ યમન કલ્યાણમા. શબ્દો છે,
“રક્ષા કરો વિપત્તિમાં એવી ન પ્રાર્થના મારી,
લાગે ન ભય આ આપત્તિમાં એવી જ પ્રાર્થના મારી.”
બીજું દેવીકાબેન રચિત કાવ્ય “ન કોઈ અહીં” પણ હેમંતભાઈએ રાગ માલકૌંસમા સંભળાવ્યું.
મુકુંદભાઈ એ સૌનું હાર્દિક સ્વાગત કર્યું અને દિપકભાઈએ એમનો આભાર માનતા કહ્યું. ‘ આજની બેઠક એ આજ સુધીની સહુથી મોટી બેઠક છે અને સાહિત્ય સરિતા એ આપણો આત્મા છે અને દર મહિને મળતી બેઠક આપણ ને નવો પ્રાણવાયુ પુરો પાડે છે.’
ત્યારબાદ સભાના સંચાલન નો દોર દિપકભાઈ ભટ્ટે વિશ્વદિપ બારડને સંભાળવા વિનંતી કરી.સમયને હાથમાં રાખી આગળ વધવાનું હતું અને આજની બેઠકમાં ઘણાં કવિ-લેખક વક્તા હતાં. વિશ્વદીપ સંચાલક તરીકે ની એમની કલા અનોખી અને અનેરી હતી. દરેક કવિને રજુ કરતાં પહેલા એ કવિની-લેખકની સ્વરચિત રચનામાંથી સુંદર પંક્તિ લઈ, શ્રોતા સમક્ષ રજૂ કરી કવિને પ્રોત્સાહિત કરી કાવ્ય કે લેખ રજુ કરવા વિનંતી કરતા.
સહુ પ્રથમ દેવિકા બેનને આમંત્રિત કર્યા.
દેવિકાબેને પોતાની ગઝલ “કયામત છે’ રજુ કરી.
“”ગણી’તી તાજની ખુબી
મીનાકારી કરામત છે.
”
પ્રવિણાબેન કડકિયાએ ગાંધીજી ની યાદમાં એમના બહુ જાણીતા અવતરણો વાંચ્યા.
“માનવતામાંથી વિશ્વાસ કદી ના ગુમાવશો.” વગેરે વગેરે……
એમની સખી દત્તા શાહ જે લંડન થી આવ્યાં હતા એમણે ગાંધીજીના અહિંસા વિશેના વિચારો પર પ્રકાશ પાડ્યો.
‘અહિંસા એ બોલવાનો નહિ પણ જીવવાનો વિષય છે. હિંસા હથિયાર થી જ નહિ પણ વાણીથી પણ થતી હોય છે. અહિંસામય જીવી શકાય એના પર ચર્ચા ન કરી શકાય.”
વિશ્વદિપ બારડે કહ્યું. ઓક્ટોબર માસ આપણાં માટે નસીબવંતો છે.ગરબાની રમઝટ અને ગાંધી-જયંતીનો માસ છે સાથો સાથ એક ખાસ વાત કહી કે આ વખતે ઓક્ટોબર મહિનામાં પાંચ શનિવાર, પાંચ રવિવાર ને પાંચ સોમવાર આવે છે. આવું ભાગ્યે જ બનતું હોય છે.
નવરાત્રીનો રંગ જમાવવા કોકીલ કંઠી શ્રીમતિ ભારતીબેન દેસાઈને વિનંતી કરી જેની સરખામણી શમશાદ બેગમ સાથે થઈ શકે. નવરાત્રિ હોવાથી એમણે સુંદર ગરબો.
“હું હું રે! માનુ ઝાંઝરિયું વાગે” પોતાના મધુર કંઠે ગાઈ સંભળાવ્યો ને વાતાવરણ મા ઝમક આવી ગઈ.
હેમાબેન પટેલે જયેશ ચિતલિયા ની કવિતા “મોનસુન” સંભળાવી.
“વરસાદ વિના તારી યાદ ભીંજવે મને.”
ચીમનભાઈ પટેલ પોતાના વ્યંગ અને હાસ્ય કાવ્ય લેખનથી જાણીતા છે. એમણે સાહિત્ય સરિતાના મોટાભાગના કવિ મિત્રો ને સાંકળી સરસ મજાનુ નજરાણુ પેશ કર્યું.
વિલાસબેન પિપળીયા જે “માસી” ના હુલામણા નામથી ઓળખાય છે, ને જેમના અવાજની ઓળખ દિવાળીબેન ભીલ સાથે કરવામા આવે છે એમણે નવરાત્રિ ને મા અંબા ભવાની પર લખાયેલા અને ખુબ જાણીતા લોકગીતો નો લહેકભેર રસાસ્વાદ કરાવ્યો.
ફતેહ અલીભાઈ ચતુરે એમના માનીતા કવિ અશોક ચક્રધર નુ ભ્રષ્ટાચાર વિરૂધ્ધ કાવ્ય
“સંસ્ક્રુત વિધ્યાલય મે ગુરૂને ચેલે સે કહા” સંભળાવ્યું.
મનોજ મહેતા જે સારા સંગીતકાર ગાયક અને ગઝલકાર છે, એમણે પોતાની ગઝલ “રસ્તા” સુંદર ભાવવાહી સ્વરે ગાઈ સંભળાવી.
“ખાલી ભર્યાં વાંકાચુકા રસ્તા ઘણા મળ્યા,
એવાં જ જુવોને આદમી વસતાં ઘણા મળ્યા”
શૈલાબેન મુન્શાએ “ઘટના’ એ પ્રસંગ વાંચી સંભળાવ્યો જેમા એક જ દિવસમા બનેલા ત્રણ જુદા જુદા બનાવોની મનપર થયેલી અસર વિશે વાત કરી.
ડો. ઈન્દુબેન શાહે અંગ્રેજી કાવ્ય “ઈન્સ્પીરેશનનો એમણે કરેલો ભાવાનુવાદ “આશીર્વાદ” સંભળાવ્યો.
સૌના વડીલ એવા શ્રી ધીરૂભાઈ શાહે જૈનો ના પર્યુષણ નિમિત્તે અને ગાંધીજી ના સરદાર વલ્લભભાઈ પટેલ ની નિકટતા અને સંબંધો ની વાત કરી. તેઓ ગાંધીજીના હનુમાન હતાં.
અંબુભાઈ દેસાઈ એ એમના જીવનમા બનેલી કરૂણ ઘટના અને એના પરથી વિજયભાઈ શાહે લખેલી વાર્તા “કદાચ” વિશે વાત કરી.
સુરેશભાઈ બક્ષીએ ગની દહીંવાલા ની ગઝલ પરથી રચેલી પેરોડી સંભળાવી.
“બે ભાઇઓ માં પડી તકરાર એવી” તથા સંદિપ ભાટિયાની ગઝલ “નથી લખ્યાં એ અક્ષર લઈને જીવ્યાં કરીશું” સંભળાવી.
સમય ધાર્યા કરતાં આગળ ધપી ગયો.સુંદર આયોજન સાથી બેઠક અહીં પુરી થઈ. સમય મર્યાદામાં અન્ય કવિઓને રજૂઆત કરવાની તક ના મળી એનો ખેદ રહી ગયો.ત્યારબાદ થોડી વાતો દશાબ્દિ મહોત્સવ વિશે થઈ. શ્રી મુકુંદભાઈ એ “હું રિટાયર થયો” નાટક અને અનંતરાય વિધ્યાપતિ નુ પાત્ર ક્યારે કેમ આકાર પામ્યું એની પૂર્વભુમિકા આપી.
ગયા વર્ષે લગભગ ઓગષ્ટ મહિનાની બેઠકમા દશાબ્દિ મહોત્સવ ઉજવવાનુ નક્કી કરવામા આવ્યું અને સમગ્ર આયોજન ની જવાબદારી રસેશભાઇને સોંપવામાં આવી.
દશાબ્દિ નિમિત્તે બે કાર્યક્રમો યોજાયા. મોટાભાગના ભાગ લેનાર સભ્યો પચાસ વર્ષથી વધુ વયના હતા.
રસેશભાઇએ કાર્યક્રમની વિગત આપતા કહું. ‘આપણી સાહિત્ય સરિતાનો આ પહેલો ભવ્ય કાર્યક્રમ થયો અને ઘણીજ મોટી સંખ્યામાં હ્યુસ્ટના શ્રોતાજનોએ હાજરી આપી એ આપણી સફળતા અને ગૌરવની વાત છે .સાથો સાથ આવા ભવ્ય કાર્યક્રમમાં જે પણ થોડી ક્ષતી રહી ગઈ તેને ભવિષ્યમાં સુધારી આપણાં ધ્યેય સાથી આગળ ધપવું.”
પ્રશાંતભાઈ મુન્શાએ હિસાબ ના લેખાંજોખા પહેલીવાર પાવર પોઈંટ થી સમગ્ર સાહિત્ય રસિકો ની સામે રજુ કર્યાં.
સહુથી મોટી વાત દશ વર્ષથી દર મહિને કોઈ સભ્યને ત્યાં એમની ઈચ્છા થી ભેગા થતા આ સાહિત્ય સરિતાના સભ્યો એ હિંમત કરી આટલો મોટો કાર્યક્રમ રજુ કર્યો.દરેક સાહિત્ય સરિતા સભ્યોએ તન-મન અને સમયનો ભોગ આપી ઘણાં લાંબા સમયની મહેનતને દાઝ આપવી ઘટે.સાહિત્ય સરિતાતો વહેતીજ રહેશે..જેના નિર્મળ જળ સાહિત્યરૂપી સાગરમાં જઈ ભળશે અને એ સાગરમાં આપણે સૌ સાથે મળી આપણી નૌકાને હંકારવાની છે.
મુકુંદભાઈ ગાંધી એ એક અનેરો ઉત્સાહ બતાવી આ બેઠકનું આયોજન પોતાના ઘેર થાય એવો આગ્રહ અને એમની સાહિત્ય સરિતા પ્રત્યેની લાગણીને સાહિત્ય સરિતા સદા આભારી રહેશે.
અંતમાં મુકુંદભાઈ ગાંધીએ સૌ પધારેલ મહેમાનોને પાંવ ભાજી સાથે ઠંડાઈ પિરસ્યા બદલ સાહિત્ય સરિતા એમનો આભાર વ્યકત કરે છે,
શૈલા મુન્શા તા. ૧૦/૦૫/૨૦૧૧
ફૂલ કરમાય છે બાગમાં…

‘તું મારી કોઈ વાત સાંભળતોજ નથી…. ‘તો તું વળી ક્યાં કોઈ મારી વાત ધ્યાન માં લે છે..! ‘જોબ કરવી નહી ને ઘરમાં ખોટી દાદાગીરી કરવાની… ‘ ‘જોબ કરવી સારી…આખો દિવસ ઘરમાં કેટલું કામ રહે છે તેનું તને ભાન નથી..રસોઈથી માંડી , ઘરનું કામ અને ઉપરાંત નિમેશ-રુચાનું સતત ધ્યાન રાખવાનુ. મારી તો ચોવીસ કલાકની જોબ. તમો પુરુષોને શું ભાન પડે ? માત્ર આઠ કલાકની જોબ ! ,ઘેરે આવી બીયર ઢીચવાનો કે સોફા પર બેઠા બેઠાં ટી.વી જોવાનો…’ ‘તો એમ કર તું જોબ કરે અને હું ઘેર રહી બધું સંભાળી લઈશ….’ ‘હા પણ તને કોઈ જોબ આપે તો ને ? ‘ અમેરિકામાં બાર વર્ષથી આવી છે એક દિવસ પણ જોબ નથી કરી..કે નથી ડ્રાવિગ શીખી..ખોટી ફિસીઆરી મારવી છે!’ ‘ જો ઉમેશ તને કહી દઉં છું કે મારી વિશે ગમે તેમ બોલ નહીં તો…’ ‘ તો તું શું કરી લઈશ?’ સુલેખા એક્દમ ગુસ્સે થઈ વેલણનો સિધ્ધો ઘા કર્યો….’
વાત એટકે સુધી આગળ વધી ગઈ કે એક બીજાના ચારિત્ર પર છાંટા ઉડાવવા લાગ્યાં! ’તું ઉમેશ સાથે ચાલું છે.’ ’તો તું પણ હેમલતા સાથે ચાલું છે જ ને! પરણેલી છે તોય! બસ આ રોજના મારા મમ્મી-ડેડીના ઝગડા, વાત વાતે ઝગડી પડે..ઘણીવાર નજીવી બાબતમાં લડી પડે.મારી ઉંમર માત્ર દસ વર્ષની અને મારી નાની બહેન રુચા જે પાંચ વર્ષેની, બહુંજ રૂપાળી અને દેખાવડી હતી તેથી તેને હું રૂપલી કહેતો. અમારી હાજરીમાં ઘણીવાર મારામારી પર આવી પડે..અમો બન્ને અમારા બેડરૂમમાં જઈ રડી લઈએ..પણ એ લોકોને તો આ કાયમી ટેવ !
અંતે બન્નેએ ડિવોર્સ લીધા. અમારું શું ? બન્નેનાં ઝગડાંમાં અમારી સેન્ડવીચ થઈ ! અમો કઈના ના રહ્યા! અમને કોર્ટના ચુકાદા પ્રમાણે ફોસ્ટર-હોમમાં રાખવાનું નક્કી થયું. મમ્મી-ડેડી પોત પોતાની રીતે બીજા લગ્ન કરી લીધા. એક માળામાંથી વિખુટું પડી ગયેલા બચ્ચાનું શું થશે? હેવી ટ્રાફીકમાં બીન અનુભવી ડ્રાવરનું શૂં થશે? હું અને મારી બહેન બન્ને જુદા જુદા ફોસ્ટર-હોમમાં ગયા. વિખુટા પડી ગયાં! મારી ફોસ્ટર-હોમના રખેવાળ બહું સારા નહોતા.એ ઘરમાં ત્રણ થી ચાર બાળકો રહેતાં અને ખાવામાં પીન્ટસ બટર સેન્ડ્વીંચ અથવા બલોની સેન્ડવીચ . ઘણીવાર બે દિવસનો વાસી ચીકન-સુપ અને રાઈસ . એક બેડમાં ત્રણ ત્રણ બાળકોને સુવાનું. આ ફોસ્ટર પેરેન્ટસ માત્ર ગવર્મેન્ટ પાસેથી અમને સાચવવા માટે પૈસા મળે તેમાં જલશા કરતાં હતાં. કોઈએ અમારી કન્ડીંશનની જાણ કરતાં તેમના ઘરમાંથી અમને બીજા ફોસ્ટર-હોમમાં મુવ કર્યા. ત્યાં કન્ડીશન થોડી સારી હતી. મને સ્કુલે જવું ગમતું હતું અને મારા ગ્રેડ પણ સારા આવતાં હતાં.સારી સ્કોલરશીપ મળવાથી મેં કોલેજ કરી કમ્પુટર સાઈન્સમાં ડીગ્રી મેળવી અને મને જોબ પણ સારી મળી ગઈ. આ સમયની દોડમાં કદીય મારી બહેના રૂપલીનો કોન્ટેકટ ના થયો. ઘણી કોશિષ કરી, તપાસ કરી પણ એ ફોસ્ટર-હોમમાં થી કયારે પલાયન થઈ ગઈ , કેમ થઈ ગઈ? કશી ખબર ના પડી. “missing person”(ગુમ થયેલી વ્યક્તિ) તરીકે દરેક ન્યુઝ-પેપરમાં, મીલ્ક કાર્ટન પર જાહેરાત કરી..અફસોસ એ વાતનો છે કે આજ લગી તેણીનો કોઈ સમાચાર નથી..!
નવરાત્રી મહોત્સવમાં નીતા સાથે મન મેળ પડી ગયો અમો બન્નેએ લગ્ન કર્યા. મારું કબનસીબ તો જુઓ !મારા મમ્મી-ડેડીને મેં મારાં લગ્નમાં હાજર રહેવા અલગ અલગ ઈન્વીટેશન કાર્ડ અને ફોન કર્યા પણ બીઝી છીએ એવું બાનું કાઢી ન આવ્યાં.
મારે એક નાનો બાબો છે એનું નામ દેવ છે. જીવનમાં શીખેલા પાઠમાંથી નક્કી કર્યું કે મારા બાળકને કોઈ પણ ભોગે સારા સંસ્કાર અને મા-બાપનો અઢળક પ્રેમ આપીશું.કદી કોઈ પણ જાતની ખોટ નહીં આવવા દઈએ.
નીતાની પણ જોબ સારી હતી એથી બન્નેની ઇન્કમ ઘણીજ સારી હતી.૩૦૦૦ સ્કેવર-ફૂટનું આલિશાન ચાર બેડરૂમનું હાઉંસમાં અમો ઘણાં જ સુખી હતાં.નીતા ઘણીવાર જોબ પર મોડે સુધી રહેતી અને કહેતીઃ ‘હિતેશ , વર્કનો લોડ એટલો છે કે મારી મોડે સુધી મારા બોસ મીસ્ટર સ્મીથ સાથે રહી કામ પુરુ કરવું પડે એમ છે. હું જોબ પરથી દેવને ડે-કેર સેન્ટરમાંથી ઘેર લઈ આવું અને એની સાથે થોડી બાળ મસ્તી કરૂ જેથી આખો દિવસનો મારો થાક ઉતરી જાય! પછી સાંજની રસોઈ બનાવી લઉ જેથી નીતાને આવી રસોઈ ના બનાવવી પડે! કોઈ વાર નીતા મોડીથી આવે તો કહેઃ ‘ આજ મારા બોસ સાથે ડીનર લઈને આવી છું. હું થાકી ગઈ છું, હું સુવા જાવ ?’ ‘ It’s OK honey! you are working so hard. Please go to bed and I can take care of Dev..( વ્હાલી, સમજી શકું છું.. તું સુઈ જા અને દેવની સંભાળ હું કરી લઈશ).
સમય ને સંજોગને બદલાતા ક્યાં વાર લાગે છે ? દેવને ડે-કેર સેન્ટરમાંથી લઈ ઘેર આવ્યો. મેઈલ-બોકસમાંથી ટપાલ લીધી. એક કવર જોઈ ચોક્યો ? લોયરની ટપાલ હતી. જલ્દી જલ્દી કવર ખોલ્યું. લેટર વાંચ્યોઃ’ My client Miss Neeta has file a divorce in the court against you…..’( ‘મારી ગ્રાહક, મીસ નીતા એ આપની સામે કોર્ટમાં ડિવોર્સ ફાઈલ કર્યા છે…’) ..મારી આંખો ત્યાંજ ફ્રીઝ થઈ ગઈ !
આપનો અભિપ્રાય આપવા નમ્ર વિનંતી…
હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતા -એક અનોખી રંગત સાથે ઉજવેલ દેવ-દિવાળી


હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાની માસિક બેઠક નવેમ્બર ૨૧મીને રવિવારે બપોરના ૧.૩૦વાગે અમારા ચિંતક લેખક શ્રી ભગવાનદાસભાઈ અને શ્રીમતી મંજુલાબેન પટેલને ત્યાં યોજવામાં આવેલ.
દેવ-દિવાળી હોવાથી ઉત્સાહ અને ઉમંગ સાથે સારી સંખ્યામાં શ્રોતાજનો પધારેલ અને સમગ્ર ઘરમાં ચારેબાજું સાહિત્યમય વાતાવરણ ફેલાઈ ગયું. બેઠકની શરૂઆત રાબેતા મુજબ સમયસર શ્રી ભગવાનદાસભાઇએ અને મંજુલાબેને મા-સરસ્વતિની સ્તુતિ કરી. અને પ્રાર્થનાના પ્રારંભ સાથે યજમાન યુગલે સૌને આવકારતા કહ્યું:”સંજોગ અને સમયની મર્યાદાને લીધે ઘણાં સમયબાદ અમો આપણી સાહિત્ય સારિતાને આંગણે આમંત્રીત કર્યા છે. પણ આજ સૌ સાહિત્યમિત્રો અમારે આંગણે પધાર્યા બદલ આભાર અને અમો ઘણાં જ ખુશ છીએ.”
ત્યારબાદ વિશ્વદીપ બારડે યજમાન યુગલનો બેઠકનું આયોજન કરવા બદલ આભાર વ્યક્ત કર્યો અને સહર્ષ જાહેર કર્યું: આજની બેઠકનું સમગ્ર સંચાલન શ્રી ભગવાનદાસભાઈ અને મંજુલાબેન કરશે.આજની બેઠકમાં ૨૦થી પણ વધારે વક્તા હોવાથી સર્વ વકતાને વિનંતી કરવામાં આવેલ કે પાંચ મિનિટ પોતાની કૃતિ રજુ કરવી જેથી દરેક કવિ, લેખક ને પોતાની કૃતી રજુ કરવાનો લાભ મળે.
ઈન્દુબેન શાહે સ્વરચિત દેવ-દિવાળીને અનુરૂપ ગીત રજૂ કર્યું શબ્દો હતા:‘મન તું કાં ન ભજે હજું રામ નામ’…રામ નામ બસ એક આધાર’ એમના સુરિલા અવાજે ગાયું.ત્યારબાદ છંદમાં ગુંથાયેલી ગઝલ, કવિયત્રી દેવિકાબેન ધ્રુવે “કોને મળી”..મોકળુ મેદાન દીધું વિશ્વનું જેણે સદા,માનવીએ કેદ કીધો મંદિરે વળી.‘નું પઠન કરી શ્રોતજનોને મુગ્ધ કર્યાં. આ વખતે સભામાં કાવ્ય પઠન સાથે શ્રોતાજનને આનંદ આવે એવા લોકગીતનું પણ આયોજન કરવામાં આવેલ.
શ્રીમતી વિલાસબેન(માસી)એ પોતાના સુંદર સ્વરમાં કવિ કાગનું ગીત..‘કાઠીયાવાડમાં કોક દિ ભુલો પડજે ભગવાવાન’ ગીત ગાયું અને તુરત જ મુકુંદભાઈ ગાંધીએ.મનાડેનું જાણીતું ગીત…’ઉપર ગગન વિશાળ’ગાઈ યુવાનીના દિવસો તાજા કરાવ્યા.વાતાવરણ એકદમ સંગીતમય બની ગયું. ફતેહઅલી પણ મુડમાં આવી ગયાં અને બેફામનું” નહિતર જિંદગીમાં ઘણીએ કાલ આવી ગઈ.પણ ભાઈ આજ તો દેવદિવાળી આવી ગઈ..ત્યારે શૈલાબેન મુન્શાએ દિવાળીનો મહિમા વિશે લખેલ કાવ્ય:‘કોઈ દીપ પ્રગટાવે, કોઈ તોરણ લટકાવે તો કોઈ આંગણ સજાવે રંગોળી.. ઉજવે સૌ દિવાળી.’
અમેરિકામાં વર્ષોથી વસતા આપણા ગુજરાતીના સ્વભાવને નજરમાં રાખી વિશ્વદીપ બારડે સ્વરચિત કાવ્ય:’ભાઈ અમે અમેરિકન ગુજરાતી’..સેલના છાપા જોતા ગુજરાતી,ઓછી આવક છતાં જલશા કરતાં ગુજરાતી..અથાણા આંબલી સાથે દાંતણની જુડી દેશથી લાવતા ગુજરાતી..રમુજી કાવ્ય રજુ કરી સૌને હાસ્ય રસમાં લાવી દીધા. એજ સમયે દીપકભાઈ ભટ્ટે રંગમાં આવી ગુજરાતી જોકસ ની સાથે નિખીલ મહેતાએ ધંધા વિશે રમુજી વાતોથી કરી હાસ્યરસને આગળ ધપાવ્યો.
સાહિત્ય સરિતા સમયને અનુસરી આગળ વધી રહી હતી અને શ્રી ભગવાનદાસભાઈ સમયની તકેદારી રાખી સભાના દોરને આગળ વધારી રહ્યા હતાં.કવિતા સાથે લોકગીત ગવાતા હતા એથી શ્રોતાજનો વિવિધ કાર્યક્રમનો આનંદ માણી રહ્યા હતાં. હ્યુસ્ટનના સાહિત્ય સરિતાના સભ્ય શ્રીમતી ભારતીબેન દેસાઈએ એમના સુંદર સ્વરે બહુંજ જાણીતું-માનીતું લોકગીત.’.‘હું તો કાગળીયા લખી લખી થાકી..કાનુડા તારા મનમાં નથી.’ ગાઈ શ્રોતાજનો ને રંગમાં લાવી દીધા.સાહિત્ય સરિતાના ખમતીધર એવા વિજયભાઈ શાહે..બે પેઢી વચ્ચે રહેતું અંતરની વાત લઈ આવ્યા હતાં: તેમની લખેલ નવલક્થા ” ટહુકા એકાંતના ઓરડેથી”ને માત્ર ચાર પાનામાં સંકલન કરી સચોટ રીતે રજુ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા. અમારા માનિતા ચિત્રકાર શ્રી વિનોદભાઈ પટેલ આજે “આકૃતી”વિશે વાત રજુ કરી.: વડોદરાના ત્રીસ કલાકારો એમ.એસ. યુનિ.મા ભણેલા છે અને એમાં પાંચ કલાકારો તો આપણાં ગુજરાતી છે એ ગૌરવની વાત છે.આજે શ્રોતાજનો જુદા જુદા રસોનો આસ્વાદ માણી રહ્યા હતાં.શ્રીમતી રેખા બારડે પોતાન સ્વરમાં.”વાદલડી વરસી રે..સરોવર છલી વળ્યા. સાસરિયે જાવું રે, મહિયરિયે મહાલી રહ્યાં.” ગાઈ સૌ ને અનેરી રંગતમાં લાવી દીધા.
સાહિત્ય સરિતાના સુંદર ગઝ્લ ગાયક શ્રી પ્રકાશ મજમુદારે” તલત મહેમુદે ગાયેલ ગીત પોતાના સ્વરે: ‘અરે..ઓ બેવફા..સાંભળ….શાને ગુમાન કરે’…ગાઈ જુના દિવસોને તાજા કરાવ્યા.સાથો સાથ શ્રી ભગવાનદાસભાઈ પોતાના સુંદર વિધાનો કહી રહ્યા હતાં માનવી માને છે કે પોતાના વગર દુનિયા અટકી પડશે…સૌ જાણે છે કે એ તથ્ય નથી..આજ એ માનનારાઓની કબર પડી છે. લાગણીશીલ એવા આપણા કવિ-ચિંતક શ્રી હેમંતભાઈ એ: મા અને પત્નીની સુંદર ભાવના અને લાગણીના સમન્વયની ચોટદાર વાત કરી સૌને લાગણી વિભોર બનાવી દીધા. સાથો સાથ શ્રી અશોકભાઈ પટેલ માનવજાતને સમજવી એ બહું મુશ્કેલ છે..જેમકે સાસુ વહું..પતિ-પત્નિ, મા-બાપ.. એ તથ્ય કહ્યું..સપ્તકની સ્થાપના નંદન મહેતાએ કરી છે એવી સુંદર માહિતી આપી. હેમાબેન પટેલે પણ આજે એમણે “દિવાળી” વિશે લખેલ એક સુંદર લેખ વાંચી સૌને દિવાળીનું મહત્વ કહ્યું.
કવિ-લેખક -ચિંતક અને તંત્રી શ્રી નરૂદીન દરેડીયાએ સૌ ને કવિ ગંગના ચોટદાર મુક્તકો રજુ કર્યા”ગંગ તરંગ પ્રવાહ ચાલે..કર્મ છુપે ના છુપાએ…પાપ છુપત હૈ..હરી નામ જપકે…’તેમજ સૌ કવિ-લેખક મિત્રો ને ‘ગુજરાત ગૌરવ’માં લેખો-કવિતા આપવા નિમંત્રણ આપ્યું. આપણા ગુજરાતી રેડિયો કલાકાર અને લાગણીશીલ કવિ પ્રદિપ બ્રહ્મભટ્ટે ‘ગુજરાતી વાણી એવી લાગે’…કાવ્ય રજુ કર્યું સાથો સાથ એમણે કરેલ નવું પ્રયાણ..રંગીલો ગુજરાત રેડિયો સ્ટેશન વિશે માહિતી અને સૌ ને મહેમાન થવા આમંત્રણ આપેલ. સુરેશ બક્ષીએ..”પ્રેમ જો આંધળો છે તો પ્રેમમાં પડનારાને શું કહેશો?‘ સુંદર શૈલીમાં કાવ્ય રજુ કર્યું. શ્રી પ્રશાંત મુન્શાએ સૌને દિવાળીની શુભેચ્છા આપી .તેમજ ડૉ. રમેશભાઈ શાહે..મેડીકેડ અને મેડીકેર વિશે જેને જરુર હશે તેમને માહિતી આપવાની તૈયારી બતાવી. આ સાથે દીનાબેન પારઘી એ ગુજરાતનાં ગૌરવનું ગીત..‘યશ ગાથા ગુજરાતની’..પોતાના સુંદર સ્વરે ગાયું .
અંતમાં રસેશભાઈ દલાલે હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતા જે “દશાબ્દી-મહોત્સવ” માર્ચ ૧૧,૧૨ -૨૦૧૧માં ઉજવવાના છે તે ભવ્યકાર્યક્રમનું આયોજન કરી રહી છે તેનો સુંદર અહેવાલ અને વિગત સૌ શ્રોતાજનોને આપ્યો અને સમજાવ્યું કે આ અપણો આનંદ છે..તે ભાવ સાથે તેની ઉજવણીમાં આવજો અને મિત્રોને લાવશો.
અંતમાં વિશ્વદીપ બારડે શ્રી ભગવાનદાસભાઈ અને મંજુલાબેનને સાહિત્ય સારિતાની નવેમ્બરની બેઠક નું આયોજન અને યજમાન બન્યા બદલ હાર્દિક આભાર વ્યકત કર્યો. સૌ મિત્રોએ દેવ-દિવાળી નિમિત્તે એમણે ફાફડા-ઘુઘરા અને અન્ય મિઠાઈ સાથે નાસ્તા-ચા અને સોફ્ટ ડ્રીન્ક લઈ છુટા પડ્યા.
અહેવાલ: વિશ્વદીપ બારડ
સહાયક: રેખા બારડ
શરદ-પૂર્ણિમા અને ગાંધી જયંતી પર્વની ઉજવણી કરતાં હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાના કવિવૃંદ:
ઑકટોબર ૨૪,૨૦૧૦ના રોજ હ્યુસ્ટન સાહિત્ય સરિતાના ભીષ્મપિતા સમા શ્રી દીપકભાઈ ભટ્ટને ત્યાં શરદપૂર્ણિમા અને ગાંધી જયંતી પર્વની ઉજવણીની માસિક બેઠકનું આયોજન કરવામાં આવેલ.સમયને નિયમિત રીતે અનુસરતી સાહિત્ય સરિતાની બેઠકની શરૂઆત રેખા બારડ અને મંજુલાબેન પટેલે સુંદર ભજન..”મંદીર તારૂ વિશ્વરૂપાળું..સુંદર સર્જન હારા..રે”થી થઈ, સાથો સાથ દીપકભાઈ એ સૌ આમંત્રિત મહેમાનોનું સ્વાગત, વિશ્વદીપ બારડે દીપકભાઈનો પરિચય આપતા કહ્યું: “૨૦૦૧માં હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાના બીજ અહીં દીપકભાઈને ત્યાં રોપાયા અને મા-સરસ્વતિને યાદ કરી સાહિત્ય સરિતાના વહેણ હ્યુસ્ટનનાં આંગણે વહેતા થયાં એમનો યશ અને જશ શ્રી દીપકભાઈ અને ગીતાબેનને ફાળે જાય છે. ત્યારબાદ સમગ્ર સભાનું સંચાલન સંભાળવાશ્રી દીપકભાઈને વિનંતી કરી.
દીપકભાઈ સભાનો દોર લઈ એમને નામાવલી પ્રમાણે બનાવેલ ચિઠ્ઠીમાંથી જેનું નામ આવે તેણે પોતાની કૃતી રજૂ કરવાની હતી.તેમાં વિશ્વદીપ બારડનું નામ જાહેર થયું..પણ એજ સમયમાં અક્ષયપાત્રના પ્રમૂખ ડૉ.કે.ટી.શાહ આવ્યા, સમયની અલ્પતાને લક્ષમાં રાખતા, હ્યુસ્ટનમાં ચાલતા”અક્ષયપાત્ર” સંસ્થાનો પરિચય અને વિગત આપવા વિનંતી કરવામાં આવી.’ભારતમાં ગરીબીના ભોગ બનેલા બાળકો ભૂખ્યાપેટે કેવી રીતે ભણવા જઈ શકે? અક્ષયપાત્ર ગરીબ-વિદ્યાર્થીને વિના મૂલ્યે ભોજન પુરૂ પાડવાનું ભગીરથ કાર્ય કરી રહ્યુ છે અને આ ભગીરથ કાર્યમા સૌને તન-મન અને ધનથી સહાય કરવા વિનંતી કરી.બાદ વિશ્વદીપ બારડે ગાંધીજી નામે ચાલતા આડંબર પર કવિતા રજૂ કરી.શબ્દો:ગાંધીના ગુણગાન ગાવાથી શબ્દાજંલી હ્ર્દયથી ક્યાં મળે છે? પહેરી ખાદીના વસ્ત્રો ફરો,બનાવટી ફૂલોની સુગંધ ક્યાં મળે છે? ત્યારબાદ શ્રી અશોકભાઈ પટેલે ગાંધીજીના બે-ત્રણ હળવા ચોટદાર પ્રસંગો કહ્યાં.શ્રી રસેશભાઈ દલાલના માતૃશ્રી ૯૦ વર્ષે સ્વધામે સિધાવ્યા એમનો શોક નહી પણ તેમના આત્માને સભાએ એક મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલી અર્પી. શ્રી રસેશભાઈએ એમના સ્વ.માતૃશ્રીને શ્રદ્ધાંજલી અર્પતા ભાવભીંનું કાવ્ય રજૂ કર્યું ” તું તો એક છો,પણ તારો પ્રેમ-ભાવ અનેક છે.” ત્યારબાદ માર્ચ ૧૧,૧૨,૨૦૧૧માં ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટનને આંગણે એક ભવ્ય-શાનદાર કાર્યક્રમનું આયોજન કરનાર છે તેનો અહેવાલ-વિગત રસેશભાઈ એ આપી. હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતા જે ગુજરાતના ગૌરવને, ગુજરાતી સાહિત્યને અમેરિકામાં એક અનોખો આવેગ આપ્યો છે. હ્યુસ્ટન સાહિત્ય સરિતાએ ગુજરાતી સાહિત્યમાં એક અનોખું પ્રદાન અને સ્થાન પ્રાપ્ત કર્યું છે તેણે દશવર્ષ ઘણાં સોપાન સર કર્યા છે.તેની ઉજવણી કરવા કટીબદ્ધ છે. બે દિવસની ભવ્ય ઉજવણીમાં માર્ચ ૧૧મી એ ગુજરાતી નાટ્યજગતના પ્રખર વિદ્વાન ક્ષી મુકુંદભાઈ.”હું રિટાયર્ડ થયો“નાટક પ્રસ્તુત કરી રહ્યાં છે સાથો સાથ ફતેહચલી ચતૂરના બહોળા અનુભવનો લાભ લઈ એમના માર્ગદર્શન હેઠળ માર્ચ,૧૨મી એ પણ એક અનોખું નાટક ભજવવામાં આવશે, તેમની સાથે એક ત્રીજું એકાંકી નાટક કલિયર-લેઈક સાહિત્ય મંડળ રજૂ કરશે.આ કાર્યક્રમમાં ગુજરાતી સાહિત્યને પ્રોત્સાહન મળે અને ગુજરાતી સાહિત્યને અમેરિકામાં અનોખો વેગ મળે તેને લગતાં ઘણાં કાર્યક્રમનો સમાવેશ થશે.
સમયને સાથ લઈને આગળ વધી રહેલી બેઠકમાં પધારેલ કવિયત્રી દેવિકાબેન ધ્રુવે એક માર્મિક ગઝલ રજૂ કરી:લાકડાના લાડુ જેવી ખેંચતી પછાડતી, જિંદગીને ભવ્યતાથી માપતું નગર જુઓ.” સાથમાં બેઠલી કવિયત્રી શૈલા મુન્શાએ” ક્યાંક નભને ચૂંમતા ડુંગરો ને ક્યાંક પાતાળે પહોંચતી ખીણો ખીલે ક્યાંક ફૂલો રંગબેરંગી ક્યાંક અડાબીડ જંગલો.” કાવ્ય પઠન કરી બન્ને કવિયત્રીએ શ્રોત્તાજનને આનંદવિભોર બનાવી દીધા.કવિ-લેખક અને તંત્રી શ્રી નૂરદિન દરેડીયાએ ગાંધીજીની દિવ્યવાણી પિરસી:”મૃત્યુ ઓશિકે માથું મૂકી સૂઈ જનાર રાષ્ટ્ર જ મહાન બની શકે“.કવિશ્રી રમઝાન વિરાની” બહું જાણે છે. પરંતુ દૂર સહુનાં સ્વજન છે, બહું ધન છે પણ વ્યથિત છે,જીવન જાણે કારતુસ વગરની ગન છે ..આ હ્યુસ્ટન છે.. આવી રમુજીક પણ જીવનના મર્મને સમજાવતી કવિતા રજૂ કરી.શ્રી ભગવાનદાસભાઈ પટેલે સાહિત્ય સરિતા માટે વ્યવ્હારિક સૂચન કરેલ:સાહિત્ય સારિતાના સભ્યમાં કોઈ પણ વ્યકતિ કૌટુંબિક વિટંબણા કે પરિસ્થિતીમાં આશ્વાસન આપવું ..અને નિકટના વ્હાલાના અવસાન નિમિત્તે પ્રાર્થના.મુકુંદભાઈ એ માર્ચમાં રજૂ થનાર નાટકની ઝલક ઘણીજ માર્મિક રીતે ભજવી શ્રોતાજનના દીલ જીતી લીધા.જાણીતા કવિ-નાટ્ય લેખક શ્રી ફતેહઅલી ચતૂરે કૂંવર બેચેનનું હિન્દીકાવ્ય “ચલો આજ મિલકે સાથ વિશ્વવંદના કરે…યે દેશ કે ખુલે નયનકે ખ્વાબ હમ હૈ ..ખ્વાબ તૂમ..” રજૂ કરેલ.આપણાં મિતભાષી વડીક કવિ-લેખકશ્રી ધીરૂભાઈ શાહે “ગાંધીજી સાથે લોખંડી પુરૂષ સદદાર વલ્લ્ભભાઈને કેમ વિસરી જવાય?નો ઉલ્લેખ સાથે “ગાંધી તારો જય થશે!!”સત્યનો અંતમાં વિજય જ હોય છે. કવિયત્રી ઈન્દુબેન શાહે ..’સામર્થ્ય” વિશે મુકતક અને શરદ-પૂર્ણિમાનું સુંદર કાવ્ય રજૂ કરેલ તેમ જ જુદા જુદા પ્રાંતમાં શરદ પુનમને જુદા જુદા નામે ઓળખે છે, એની વિગત આપી.આપણાં ગૌરવંતા ચિત્રકાર શ્રી વિનોદભાઈ પટેલે ગ્રાન્ડરેપિડ મીશીગનમાં યોજાયેલ ચિત્ર પ્રદર્શનમાં જઈ આવ્યાનો અહેવાલ રજૂ કરેલ અને તેમનું ચિત્ર ત્યાં રજૂ થયેલ તે આપણાં માટે ઘણાંજ ગૌરવની વાત છે. ગાંધીજીને યાદ કરતાં..મારું જીવન….એજ.. મારી વાણી”નું સુંદર ભાવ-વિભોર ગીત નિખીલ મહેતાએ પોતાના સુંદર સ્વરમાં ગાયેલ. દિવ્યકાંત પરીખે સુરેશ દલાલનું” ડોસા-ડોસી વ્હાલ કરે છે…કમાલ કરે છે.નું સુંદર કાવ્ય પઠન કરેલ.. અંતમાં સાહિત્ય સરિતા”માસી”ના નામે સંબોધે છે તે મીનાક્ષીબેન પિપલીયાએ..”આસો માસો શરદ પૂનમની રાત જો,ચાંદલિયો ઉગયો રે સખી મારા ચોક્માં.ગરબો રજૂ કરી સૌ ને આનંદવિભોર કરી દીધા.
અંતમાં સૌનો આભાર વ્યક્ત કરતાં વિશ્વદીપે કહ્યું: આજની બેઠક યાદગાર બની રહેશે..દીપકભાઈના નેજા હેઠળ, અને એમના ઘેર યોજાયેલી તેમજ તેમના સુંદર સંચાલન બદલ એમનો હાર્દિક આભાર વ્યકત કરેલ છે..સૌ અલ્પાહાર લઈ સભાની સમાપ્તિ કરી.
અહેવાલ: વિશ્વદીપ બારડ
સહાયક: રેખા બારડ
શુભેચ્છાઓ-शतायु भवः
Many happy returns of the Day!

ભીની રે માટી ચડાવી ચાકડે, મુને ચાકડે ખૂબ ઘુમાવ્યો રે
નીર છાંટી એણે ઘાટ ઘડ્યો, લૈ દોરી મુજને કાપ્યો રે…
સીતાજીની સમ આગમાં મુકી, અંગારે ખૂબ તપાવ્યો રે
પાવન થઇ બહાર નીકળ્યો, કો’કે કોડિયું કહી અપનાવ્યો રે
મુને ચાકડે ખૂબ ઘુમાવ્યો રે!
કો’કે મુકી એક વાટ લાંબી, કો’કે તેલ ભરી છલકાવ્યો રે
કો’ક રુપાળા હાથે મુજને, ઉંચે ગોખ ચઢાવ્યો રે
મુને ચાકડે ખૂબ ઘુમાવ્યો રે!
સૂરજ ડુબ્યો અંધાર છવાયાં, કો’કે મુને પ્રગટાવ્યો રે
દુર ન થાય અંધારા જગના, મેં ગોખલો એક ઉજાળ્યો રે
મુને ચાકડે ખૂબ ઘુમાવ્યો રે!
તેલ ખુટ્યું ને વાટ ખુંટી, મારા સપનાનો અંત ન આવ્યો રે
લાખ દિવા એક જ્યોતમાં દીઠા, સાર જીવન નો જાણ્યો રે
મુને ચાકડે ખૂબ ઘુમાવ્યો રે!
સપ્ટેમ્બર 10 , 2007
અધુરું સ્વપ્ન!
‘ડેની,મને ઊંઘ નથી આવતી, બહુંજ અન્કોમ્ફોર્ટેબલ (uncomfortable)લાગે છે” નીશા, ડેનીના માથાના વાળ પર સુંવાળો સ્પર્શ કરતાં બોલી.
‘હની, હવે માત્ર બે દિવસ બાકી છે, પછી તું ફ્રી..’
‘ડેની, પછી તું તારા પ્રિન્સને દુધ પિવરાવીશ, ડાયપર્સ બદલીશ? જોબ પર કોણ જશે?’
‘હું જોબ પરથી એક અઠવાડીયું રજા લઈ તને મદદ કરીશ.’
‘યસ, ડાર્લિંગ..પણ અત્યારે તો તારો પ્રિન્સ બહું જ સતાવે છે, જરીએ સુવા દેતો નથી.’
ડેનીએ એમનો જમણો હાથ વ્હાલથી નીશાના પેટ પર ફેરવતા બોલ્યો..’પ્રિન્સ બંટી , તારી મમ્મીને બહું નહીં પજવવાની ઓકે?
નીશાને પ્રેગનન્સીનો નવમો મહિનો ચાલતો હતો અને બે દિવસ પછી બેબી આવવાની તારીખ ડોકટરે આપેલી હતી.નીશા અને ડેની બન્ને અહીં અમેરિકામાં જ જન્મેલા, હ્યુસ્ટનમાં સુગરલેન્ડ નેબરહૂડમાં એક જ સબેડીવિઝનમાં રહેતા હતાં. એક જ સ્કુલમાં એલીમેન્ટ્રીથી સાથે ભણેલાં. એક દિવસ નીશા સ્કુલબસ ચુકી ગઈ અને બહાર ધોધમાર વરસાદ પડતો હતો અને ડેનીને સ્કુલ-પ્રોજેકટ માટે રહ્યો હતો. નીશા પાસે ડેની આવી કહ્યુ:
‘નીશા, શું બસ મીસ થઈ?
‘હા, યાર, ઠંડીથી ધ્રુજતા, ઘ્રુજતા નીશા બોલી.
ડેનીએ પોતાનું જેકેટ કાઢી નીશાને આપ્યું.
‘પણ તું જેકેટ વગર શું કરીશ? તને ઠંડી નથી લાગતી?’
‘ના,’ ડેનીએ ટુંકમાં જવાબ આપ્યો.
બીજી લેઈટ પીક-અપ બસ આવી તેમાં બન્ને બેસી ઘર આવ્યા..
ડેની બે દિવસથી સ્કુલમાં નહોતો આવતો તેની ખબર પડતા નીશાએ ડેનીના ઘેર ફોન કર્યો ત્યારે ખબર પડી કે તેની શરદી થઈ ગઈ હતી. નીશાને બહુજ બેડ ફીલ થયું: ‘મારે લીધે જ ડેનીને શરદી થઈ ગઈ છે તેણે તેનું જેકેટ કાઢી મને આપી દીધું..Such a nice guy!નીશા મનોમન બોલી
બસ ત્યારેજ પ્રણયના અંકુર ફૂટ્યા!
વર્ષોથી અમેરિકા રહેતા ડેનીની મમ્મી ને આ સંબંધ મંજુર નહોતો. નીશા એમના મા-બાપની એકની એક છોકરી હતી.ટીન-એજર લવ એ અમેરિકામાં કોમન છે અને તેમાં તેમને કશો વાંધો નહોતો.
‘ડેની, આ રખડેલ છોકરી સાથે તું ફરે છે મને જરીએ મંજુર નથી..ડેનીની મમ્મી તાડુકી બોલી..
‘મમ્મી, તમે શું બોલો છો, તેનો તમને ખ્યાલ છે, શું નીશા રખડેલ છોકરી છે?’
જો ડેની આ ઘરમાં તારે રહેવું હોય તો અમારું કહ્યું તારે માનવું પડશે..
‘નહીતર? ડેની પણ અપસેટ થઈ બોલ્યો.
‘તું હવે અઢાર વર્ષનો થઈ ગયો છે,એડલ્ટ છો..’
‘એટલે તમે મમ્મી શું કહેવા માંગો છો? હા, હું સમજી શકું છું.’
બસ ત્યારથી ડેની એ ઘર છોડ્યુ. ડેનીના ફાધરે ઘણું સમજાવ્યું: ‘બેટા, તારી મમ્મીના સ્વભાવ પર ના જા..તારા ભવિષ્યનો તું વિચાર કર. મારે તારા મમ્મી સાથે આ પનારા પડ્યા છે. ઘરમાં કંકાશ ને લીધે હું એકે બાજું બોલી નથી શકતો.
‘ડેડી, હું તમારી સ્થિતી સમજી શકું તેમ છું..Don’t warry, I will be OK!’
ડેની એ સ્કુલ છોડી..જોબ શરું કરી.નીશાએ ડેનીને પુરે પુરો સાથ આપ્યો..
નીશાએ પોતાના મા-બાપને કહ્યું:’ આવી પરિસ્થિતીમાં મારે ડેનીને કપરા સંજોગોમાં સાથ આપવો જોઈએ.અને હવે હું પણ એમની સાથે રહીશ.’
બન્નેએ એક બેડરૂમનું એપાર્ટમેન્ટ રાખી સાથે રહેવા લાગ્યા.
એક વરસ બાદ નીશા પ્રેગનન્ટ થઈ.
‘ડેની, આ બાળકના જન્મબાદ આપણે લગ્ન કરી લેવા જોઈએ..ક્યાં સુધી હું કોમન-વાઈફ તરીકે તારી સાથે રહું? મારે લગ્નજીવનની એક સાચી પત્ની તરીકે તારી સાથે જીવન જીવવું છે..’
યસ, ડાર્લીંગ, મને પણ એજ ધડીની આતુરતા છે..બાળકના જન્મબાદ આપણે ધામ-ધૂમથી લગ્ન કરીશું.તારી આ વાતથી આજે હું પણ બહું ખુશ છું. Thank you darling. કહી ડેની એ નીશાને વ્હાલ ભર્યું ચુંબન આપી ભેટી પડ્યો. ડેની દિવસભર જોબ કરતો અને સાંજે પાર્ટ-ટાઈમ.ઈલેકટ્રીક ઈન્જીનયરનું સ્ટડી કરતો હતો અને નીશાનો એમાં પુરેપુરો સહકાર હતો.
‘ડેની, તારે સવારે ઉઠી જોબ પર જવાનું છે, તું સુઈ જા?..હું પણ આડી પડી છું, ધીરે ધીરે ઊંઘ આવી જશે.
સવારે ૫.૩૦નો આલાર્મ વાગ્યો, ડેની ઉઠી પોતાના માટે અને નીશા માટે ચા બનાવી.
‘હની.. ઉઠવું છે? રાતે પછી ઊંઘ આવી ગઈ હતી?.નીશાના કપાળ પર વ્હાલભર્યું ચુંબન આપતા ડેની બોલ્યો.’
‘યસ, ડેની થોડીવાર ઉઠીસ, તારી સાથે ચા-નાસ્તો કરી, તું જોબ પર જઈશ એટલે ફરી સુઈ જઈશ!’
બન્નેએ સાથે ચા અને ટોસ્ટ નો નાસ્તો કર્યો.
જોબ પર જવા તૈયાર થઈ ગયો. છ વાગે એમની રાઈડ આવે.એમનો મિત્ર માઈક દરરોજ એમને રાઈડ આપતો હતો..ડેની પાસે હજું કાર નહોતી.
‘હની,હું બહાર રાઈડ માટે ઉભો છુ. બસ હવે બેબી આવવાને એક દિવસ બાકી છે. કાલે હું મારા બૉસને કહીશ: મારી વાઈફને સીઝીરીનથી બેબી લેવાની છે તેથી હું કાલે નહી અવી શકું.’
‘થેન્કુ, ડાર્લીંગ!’
બાય! કહી ડેની નીશાને કીસ કરી ઘર બહાર આવ્યો. નીશા ઘરની બારીમાંથી ડેનીને નિહાળી રહી હતી.
ધડ..ધડ..ધડ ત્રણચાર ધડાકા બોલ્યા..જાણે કે ગોળીઓનો વરસાદ…
નાશાએ ચીસ પાડી…’ડેની!!
માંડ, માંડ ઘર ખોલી બહાર આવી.લોહી..લોહાણ અવસ્થામાં ડેની બહાર પડ્યો હતો..Please help..help..help ની ચીસોથી નેબર જાગી ગયા..કોઈ પોલીસને ફોન કર્યો.સૌ મદદે ધસી આવ્યા..કોઈએ ત્રણ જણને ગન સાથે ગેટ-વે કારમાં નાસી જતાં જોયા. રૉબરી! કે શું?
પોલીસ, એમ્બ્યુલન્સ બધા દસ મિનિટમાં આવી પહોચ્યાં. પેરામેડીકે ડેનીને C.P.R આપવાનું શરું કર્યું..આ બાજું નીશા બે-ભાન અવસ્થામાં હતી. બન્નેને જુદી જુદી એબ્યુલન્સમાં નજીકના હોસ્પિટલમાં લઈ જવામા આવ્યા. એજ હોસ્પિટલમાં ડેનીનું મોત અને હોસ્પિ઼્ટલમાં એજ સમયે તાત્કાલીક ડોકટરે સીઝીરીયન કર્યું , નીશાએ એક નવજાત બાળકને જન્મ આપ્યો! એક જ્યોત બુઝાઈ સાથો સાથ બીજી જ્યોત પ્રગટી!



વાંચકોના પ્રતિભાવ