માર્ચ ૨૦૦૮ ની બેઠકનો અહેવાલ- ફતેહઅલી ચતુર-પ્રશાંત મુન્શા

માર્ચની પહેલી તારીખે યોજાયેલી ગુજરાતી સાહિત્યસરિતાની ૭૨ મી બેઠક નુ આયોજન શાંગ્રિલા આર્ટ ગેલેરીમાં રાખવામાં આવ્યું હતું. ત્યાં ત્રણ પ્રસંગોમાં બે લલિત કળાઓનો અદભુત સંગમ યોજાયો હતો. ભારતમાં જન્મેલા અને અમેરિકામાં વસેલા ચિત્રકારોના ચિત્રોનુ પ્રદર્શન ( કે જેમા આપણા ચિત્રકાર મિત્ર અને સભ્ય વિનોદ પટેલનાં પણ ચિત્રો રજુ થયા હતા) અને હ્યુસ્ટન ની ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠક અને કવિઓની કવિતાનો રસાસ્વદ સાથે શેર અન્તાક્ષરી ભાગ-૨ માં ૫૭ જેટલા જાણીતા અને માનવંતા ગઝલકારોનાં શેરોની રમઝટ.

રંગબેરંગી રંગોના સાનિધ્યમા પ્રશાન્તભાઈએ સભાની શરુઆત સહુ મહેમાનો ને આવકારી ને કરી, અને પ્રકાશભાઈ મજમુદારને પ્રાર્થના માટે આવકાર્યા. પ્રકાશભાઈએ કવિ નાનાલાલ ની પ્રાર્થના “અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા” ભાવવાહી સ્વરે ગાઈને સભાનુ મંગળાચરણ કર્યું. સર્વ વક્તા અને શ્રોતાઓએ પણ સુર પુરાવ્યો.

ત્યારબાદ પ્રશાન્તભાઈએ દેવિકાબેનને આવકારી સભાનુ સંચાલન પદ ગ્રહણ કરવા વિનંતી કરી.

દેવિકાબેને કવિઓના નામ ની ચિઠ્ઠી બનાવી હતી અને જે પ્રમાણે નામ નીકળે એ પ્રમાણે કવિ પોતાની કૃતિ રજુ કરે એ પ્રથા રાખી હતી.બેઠક્નો વિષય હતો “નજર”

સૌ પ્રથમ હેમંતભાઈ ગજરાવાલા નો વારો આવ્યો. એમણે યુવાવસ્થાથી એમના જીવનમા મહત્વનો ભાગ ભજવનાર વ્યક્તિ ની નજર . “તારી નજરે યુવા મનને સપના દર્શાવ્યા થી માંડી ને ત્રીજા નેત્ર સુધીની વાત સરસ રીતે કાવ્યમા વણી લીધી. દેવિકાબેને સરસ પંક્તિઓ એ માટે રજુ કરી “મળી મળી ને પડી વિખુટી નજર તમારી મળી શકીના.” આગળ ધપતા દેવિકાબેને મનોજભાઈને કૃતિ રજુ કરવા આમંત્ર્યા. મનોજભાઈએ નજરને કર્તાનુ રુપ આપી લગતા વિશેષણોની વાત કરી.”નજર સારી, નજર ખરાબ, વગેરે ગઝલ રજુ કરી.

“નજર નજર મા ફરક પડે છે,
શોલા મળે ક બરફ મળે છે.”

દેવિકાબેને ગઝલને બિરદાવતા નજરના જુદાજુદા નજારાની વાત કરી. અને ડો વિવેક ટેલર ની કવિતા “ફાંસ”ની એક નજર “ભર બપોરે ભર મેળામા નજરુની વાગી ગઈ ફાંસ.” રજુ કરી ત્યારબાદ પ્રશાન્તભાઈનુ નામ નીકળતા એમણે આપણા બહુ જાણીતા કવિ કરસનદાસ માણેકનુ ખુબ જ જાણીતું કાવ્ય “તે દિન આંસુભીના રે હરિના લોચનિયા મે દીઠા” સંભળાવ્યુ સાથે દુનિયાની વિષમતા ની વાત કરી. આ પછી વિજયભાઈએ એમના ત્રીસ વર્ષના લગ્નજીવન પર લખાયેલું એમનુ કાવ્ય “પેલી સારસ બેલડી સરકે સંગસંગ” સુંદર રીતે રજુ કર્યુ. આ પછી ફતેહઅલીભાઈએ” જીંદગી” પર નાનકડું કાવ્ય

“જિંદગી એક કિતાબ હૈ, આકારમે દિલસી,
પવિત્ર ગીતા, કુરાન, બાઈબલ જૈસી”

રજુ કરી. પ્રકાશભાઈએ શુન્યપાલનપુરી ની ગઝલ “નજર મેળવીશું ને ખોવાઈ જાશુ” ભાવવાહી સ્વરે સહુને સંભળાવી. એનો પ્રત્યુત્તર આપતા દેવિકાબેને નજરુ મેળવવાની વાત પર ” નયનમાં જો કોઈની નજર ના હોત” ની વાત કરી મુરબ્બી ધીરુભાઈ શાહે ગાંધી નિર્વાણ દિન અને યુધ્ધના સૈનિકો પર પોતાની રચના રજુ કરી. સુમનભાઈ અજમેરીએ “પનિહારી” પર નુ ગીત રજુ કરી ગ્રામ્ય જીવનનુ દર્શન કરાવ્યુ અને “જવાની જ્વાળ થઈ જાશે” ગઝલ રજુ કરી. ત્યારબાદ આપણા સહુના જાણીતા વિશાલ મોણપરાએ “તને જોઈ જોઈ તો પણ તુ અજાણી” કાવ્ય ની પંક્તિઓ રજુ કરી.ચીમનભાઈએ

“કરે કથામા વાતો લોકો કારણો વગર
અને બગાડે સમય પોતાનો કારણો વગર”

સંભળાવી સહુને હાસ્ય તરબોળ કર્યા.

જ્યારે રસિક મેઘાણીએ નાના બે શેર અને એક ગઝલ ગાઈને રજુ કરી.

“પલક પલક પાંખડી ના ગુલાબ જેવા નયન તમારા,
છે કાળી કાળી લટોની સાથે વદન ની શોભા નયન તમારા.”

દેવિકાબેને શબ્દારંભે અક્ષર એક” નો નવતર પ્રયોગ રજુ કર્યો અને “ન” અક્ષર પરથી શબ્દ શરુ થાય એમ આખુ કાવ્ય રચ્યું.

“નીલમ નામે નાર નવેલી,
નાજુક નમણી નખશિખ નિરાળી”

નમણાશ થી રજુ કર્યુ. શૈલાબેને “દ્રષ્ટિ” કાવ્ય જે હળવાશ થી શરુ થઈને દ્રષ્ટિ ની ગહનતા પર સહુને લઈ ગયુ એ રજુ કર્યું. છેવટે અશોકભાઈ પટેલે નાના બે મુક્તક રજુ કર્યા.

આ રીતે દેવિકાબેને સભાના કાવ્યમય પ્રથમ દોરની સમયસર પુર્ણાહુતી કરી વિજયભાઈને શેર અન્તાક્ષરી ની બાગડોર સોંપી.આ અન્તાક્ષરીના એક પક્ષમાં દેવિકાબેન્ ધ્રુવ , શૈલાબેન્ મુન્શા રસિક્ભાઈ મેઘાણી અને ચિમનભાઈ પટેલ અને બીજા પક્ષમાં મનોજભાઈ મહેતા, અશોક્ભાઈ પટેલ્, સુરેશભાઈ બક્ષી તથા ગીતાબેન ભટ્ટૅ ભાગ લીધો હતો.

આપ સર્વેને જણાવતા અમને આનાંદ થાય છે કે આ કાર્યક્રમ VIDEO માં અહીં ગુજરાતી સાહિત્ય સરિતાની વેબસાઈટ પર મુકાયો છે. જેનો જીવંત અનુભવ આપ સૌ માણી શકશો.

શ્રી વિનોદ પટેલ ના સુચનથી હાજર રહેલા તમામ કવિ મિત્રોએ ત્યાં દિવાલો પર મુકાયેલ ચિત્રો પર પોતાની બે થી ચાર પંકતિના શીઘ્ર મુક્તકો રજુ કર્યાં જેનો વિગતવાર અહેવાલ આપ અહીં માણો

ફત્તેહ અલીભાઈએ સૌનો અભાર માનીને સભાની પુર્ણાહુતી કરી.

ફત્તેહ અલી-પ્રશાંત મુન્શા

ગુજરાતી ગઝલ અંતાક્ષરીનો વિડિયો અહીં ઊપલબ્ધ છે.

3 comments March 20, 2008

ગુજરાતી સાહિત્ય સરિતા એ ભજવ્યો ગુજરાતી શેર અંતાક્ષરીનો નૂતન કાર્યક્રમ

<p>આ કાર્યક્રમ સાંભળવા માટે નીચે ક્લીક કરો.<br />
[audio:http://gujaratisahityasarita.org/files/2007/11/sher-antaxari.mp3]</p>
<p>4 નવેમ્બર 2007 નાં રોજ કો ઓર્ડીનેટર શ્રી દિપક ભટ્ટને ત્યાં યોજાયેલ સાહિત્ય સરિતાની નિયમિત માસિક બેઠક્માં કદાચ સમગ્ર વિશ્વમાં પ્રથમ ગુજરાતી શેર અંતાક્ષરીનો નૂતન કાર્યક્રમ યોજાયો.<br />
આ બેઠકનાં સંવાહ્ક ડો.ભગવાનદાસ પટેલ હતા જેમણે બેઠક્નાં વિષય ‘આનંદ અને આભાર’ વિશે માહીતિ આપી અને સભા સંચાલન પ્રાર્થનાથી શરુ કર્યુ..મનોજ મહેતાએ તેમણે લખેલ તાજા ચાર મુક્તકો વાંચી આભાર વિષયને સંભાળ્યો. દેવિકાબેન ધ્રુવ અને સુમન અજમેરી નવતર વિષયો લાવ્યા હતા જેમા મહદ અંશે પ્રભુ તો કેટલો પાંગળો છે એવી માન્યતાને મજબુત કરતુ કાવ્ય સુમનભાઇએ કહ્યુ અને દેવિકાબેને પ્રતિ કાવ્ય સ્વરુપે જવાબ આપ્યો પ્રભુ તુ સર્વવ્યાપ્ત છે તારી અમને જરુર છે. શ્રી ધીરુભાઇ શાહે તેમની કવિતા સરળ ભાષામાં અને વિષય આધારીત રજુ કરી. વૈષ્ણવજન તો તેનેરે કહીયે નો ખુશવંતસીંઘ દ્વારા થયેલ અનુવાદ હ્યુસ્ટનનાં ગાંધી શ્રી અતુલ કોઠારીએ વાંચ્યો.</p>
<p>મુકુંદ ગાંધી એ ડો. દિનેશ શાહની કવિતા વાંચી જે અમેરિકામાં કમાતા દિકરાઓ જે વતનમાં માબાપને જે ભુલી ગયાછે તેમની વ્યથાને વણી. વિજય શાહે શ્રી ઇન્દ્ર શાહ ની કવિતા ‘કાવડ’ વાંચી આજનાં શ્રવણને યાદ કર્યો. ફતેહ અલી ચતુરે તેમની મનોરંજક અદામાં અશોક ચક્રધરની કવિતા સંભળાવી સૌને આનંદીત કર્યા. શ્રી દીલિપ પરીખે અગીયારસ થી નૂતન વર્ષ સુધી દિવાળીનાં દિવસોનુ મહત્વ સમજાવ્યુ અને આધ્યાત્મિક રીતે દિવાળી કેમ ઉજવાય તેના મનોગમ્ય સુચનો કર્યા. ડો ભગવાનદાસે પ્રસંગોચીત આભાર અને આનંદ વિશે તેમનું મનનીય વક્તવ્ય રજુ કર્યુ. દિપક ભટ્ટ ગુજરાતી સાહિત્ય સરિતાનાં ભાવી કાર્યક્રમો અને આયોજન અંગે તેમના અભિપ્રાયો આપ્યા.<br />
બહુ અપેક્ષિત નવો શેર અંતાક્ષરીનો કાર્યક્રમ શરુ કરતા પહેલા આ કાર્યક્રમનુ માળખુ તૈયાર કરનાર શ્રી સુમન અજમેરીનું અભિવાદન થયું.<br />
45 થી વધુ ગુજરાતનાં જાણીતા અને સ્વિકૃત કવિ અને ગઝલકારોનાં લગભગ 81 શેરો 8 સભ્યો સર્વ શ્રી રસિક મેઘાણી, સુરેશ બક્ષી, મનોજ મહેતા, અશોક પટેલ દેવિકાબેન ધ્રુવ, ફતેહઅલિ ચતુર,પ્રવિણા કડકીયા અને શૈલા મુનશા એ રજુ કર્યા. સમગ્ર અંતાક્ષરીનું સુચન શ્રી કીરિટ ભક્ત અને રસેશ દલાલનું હતુ. આ અંતાક્ષરીનું આયોજન અને સંચાલન વિજય શાહે કર્યુ હતુ.<br />
કાર્યક્રમનાં શ્રોતાઓમાં લગભગ દરેક સ્પર્ધકોનાં શેરો ઉપર દાદ મળતી હતી. અને આવા કાર્યક્રમો વધુ કરો કે જેથી ગુજરાતી સાહિત્યની જાણવણી અને લોક્ભોગ્યતા જળવાય તેવુ મંજુલાબેન પટેલનું સુચન આવ્યુ હતુ. આવા કાર્યક્રમો લોકભોગ્ય રીતે મોટા પાયે કરવાનુ અને સ્પર્ધકોને વધુ સાહિત્ય મળે તો આપણો અમર વારસો સચવાય તેવુ પણ કેટલાક મંત્ર મુગ્ધ શ્રોતાઓએ સુચવ્યુ હતુ.</p>
<p>સ્પર્ધકોની રજુઆત અને તેમણે કરેલ કાર્યની મુલવણી માટે ત્રણ જજ ડો ભગવાનદાસ પટેલ, મુકુંદ ગાંધી અને હેમંત ગજરાવાલા હતા. સર્વ શ્રી દેવિકાબેન ધ્રુવ અને મનોજ મહેતાને સારી અને અસરકારક રજુઆત માટે સન્માન્યા હતા અને દરેક સ્પર્ધકોને શ્રોતાઓએ વધાવ્યા હતા. ગુજરાતી સાહિત્યની ઉંચેરી સંસ્કાર મુડીને વિદેશમાં સાચવવા મથતા લગભગ દરેક ગુજરાતીને આ પ્રયોગનો આનંદ હતો અને નવતર પ્રયોગ માટે અભિમાન હતુ. અને આવા કાર્યક્રમોનું સ્તર નાની બેઠકથી વધારી મોટા કાર્યક્રમ સ્તરે લઇ જવા સુચન થયુ હતુ</p>

શેર અંતાક્ષરી

ઢમ ઢમ બાજે ઢોલ નગારા યારો રમવા આવો
શેર ગઝલ સરવાણી મીઠી શબ્દે શબ્દે વહાવો
સુમન અજમેરી

વીખરેલી લટોને ગાલો પર રે’વાદે પવનતુમ રે’વાદે
પાગલ ગુલાબી મોસમમાં વાદળનું વિસર્જન કોણ કરે
સૈફ પાલનપુરી

રમું છું હું રંગીન મોસમની સાથે ક્યારેક રંગીન જોખમની સાથે
સરળતાથી ચાલુ છું મુશ્કેલ પંથે મને એવી આ જીંદગાની ગમે છે
શેખાદમ આબુવાલા

છલોછલ છલકીને અંગો અવર પે વારી દે રંગો
ઉમરનો એ તકાજો છે નિછાવર પ્યાર થઈ જશે
સુમન અજમેરી

છણકો કરીને ઠેક લો તો ચાલમાં ગઝલ
ને ઝાંઝરી ઝણકી ઉઠે તો પાયમાં ગઝલ
યોસેફ મેકવાન

લ્યો પિપળ ફરક્યા પાન હવે તો સોહમ સોહમ
છે પવન તણું ઘમસાણ હવે તો સોહમ સોહમ
ડૉ. રશીદ મીર

મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ
આંગળી જળમાંથી નિકળીને જગ્યા પૂરાઈ ગઈ
ઓજસ પાલનપુરી

ઈશ્વરની મુઠ્ઠીમાંથી જે છટકી ગઈ
એ તો મનુષ્ય નામની મોંઘી જણસ હતી
ભગવતીકુમાર શર્મા

તારી પાસે પહોંચવાની વાત કોરાણે રહી
હું જ મારાથી હજુ કેટલોય દૂર છું
કિસ્મત કુરેશી

છલોછલ ઓસનો આસવ પીધો છે રાતભર એણે
સવારે ઘાસની આંખે દિશાઓ ઝુમવા લાગી
મનોહર ત્રિવેદી

ગુલે ગુલે થઈ ગઈ જવાની જંગ માગે છે
ન’તો જાણ્યો કદી એવો રવાની રંગ માગે છે
સુમન અજમેરી

છાલક છાલક રમેલા તે સમયની વાત છે
રેતના ઘરમાં વસેલા તે સમયની વાત છે
એહમદ ગુ’લ

છે તારી અંદર માણસ છે તું ઢાંક-પછેડો રહેવા દે
એ અજવાળું નહી ફાનસ છે તુ ઢાંક પછોડો રહેવા દે
ડૉ અશરફ ડબ્બાવાલા

છલકે છે એમનું જામ મુકદરની વાત છે
ખાલી છે મારું ઠામ મુકદરની વાત છે
ઝાકિર ઉપલેટવી

દફનાઈ જવાદો ગૌરવથી એ જ્યાં જન્મે છે ત્યાં ને ત્યાં
આંસુને નિસાસાની કાંધે મહોબ્બતનો જનાજો શામાટે
મધુકર રાંદેરિયા

ટુકડો બરફનૉ જેમ હથેળી પર રહે
વાતોમાં તારી સમય ઓગળી ગયો
મનહરલાલ ચોક્સી

યા પ્યારથી એને પંપાળો યા ક્રૂર થઈને ધુત્કારો
આ લોકે રહે કે પરલોકે સાગર તો તમારો કહેવાશે
સાગર કુતિયાનવી

શ્વાસને આરામ મળે છે કબરમાં
જિંદગી બેફામ ચાલી હોય છે
આહમદ મકરાણી

છે નિપુણ આ ઓઢવામા માનવી પરછાઈને
હોઠને હૈયા વચાળે ફાસલો કૈ કૈ સદી
સુમન અજમેરી

દીધો’તો સ્વર્ગમાંથી જાકારો હે પ્રભુ
બીજે ક્યાં જાય નરક ભણી આદમી ગયા
મરીઝ

યુગયુગથી પીએ સરિતા સાગર તો યે પ્યાસો છે
નહીતર મેઘો ઉભરેના કેકારવ છલકાયો છે
દીપક બારડોલીકર

છે ભીડ અંહી એકલતાની ને શહેર છે સન્નટાનું
ને નામ વગરના સ્ટેશનનો સંભાળ લઈને દોડું છું
પ્રફ્ફુલ વોરા

છૂટી લટ ગુલાબી ચહેરો આંખમાં શરમ
પ્રિયે છબીમાંએ તું કેટલી શરમાયા કરે
નઝીર શાયર

રણમાં ફર્યા કરવાનુ પરિણામ જોઈલો
આખર પડી ગયા અમે મૃગજળના પ્યારમાં
ડૉ. અદમ ટંકારવી

મળે છે કોઈ એકાદ પ્રેમીને સાચી લગન દિલની
બધાય ઝેર પીનારા કંઈ શંકર નથી હોતા
અકબરઅલી જસદણવાળા

તને કોણે કીધું કે હું રંક છું નથી રંક રાયનો રાય છું
મને તોળ સત્યને ત્રાજવે કે હું સત્ય લોકનો ન્યાય છું

અમૃત ઘાયલ

છૂટી પડી ગયેલી ક્ષણોમા પડાવ રે
હું પણ કોઈ ઉદાસ હવાઓમાં આળ રે
હેમન્ત ધોરડા

રડી લેશું પડ્યું છે આયખુ નજર સામે
વિગત ના થાય તોફાની પળો હરદમ ઝુલાવી દો
સુમન અજમેરી

દિવસો જુદાઈના જાય છે એ જશે જરૂર મિલન સુધી
મને હાથ ઝાલીને લઈ જશે મુજ શત્રુઓ સજન સુધી
ગની દહીંવાળા

ધર્મના કર્મ જાળમાં મુજને હવે ફસાવના
મુજમાં તું ઓતપ્રોત છે હું તારા શ્વાસ શ્વાસમાં
બદરી કાચવાલા

મોતનું બંધન છતાં કરતો રહ્યો છે માનવી
જિંદગીની માવજત આદમથી શેખાદમ સિધી
શેખાદમ આબુવાલા

ધુમ્મસ ઢળેલ અશ્વ સવારોના શહેરમાં
શું સૂર્યનો દમામ વિકારોના શહેરમાં
અગમ પાલનપુરી

મઘમઘું છું હેમે થઈને ઝામગું છું સૌરભ બની
તું મને સ્પર્શે જો મિતવા આવ એ રીતે સ્પર્શ
ડૉ. પુરુરાજ જોશી

શ્રધ્ધાજ મારી લઈ ગઈ મંઝિલ સુધી મને
રસ્તો ભૂલી ગયો અને દિશા ફરી ગઈ
ગની દહીંવાળા

અંદર જાણે અડ્યા મુળિયાં કેમ આવશે પાન
ભીતર જ્યારે શ્વાસ સકલ છે કેમ ગવાશે ગાન
ડૉ. ચંદ્રકાંત શેઠ

ન ધરા સુધી ન ગગન સુધી નહીં ઉન્નતિ ન પતન સુધી
પણ આપણે તો જવું હતું બસ એકમેકના મન સુધી
ગની દહીંવાળા

ધોમ ધખતા તાપમાં સાગરને ઉકળવુ રહ્યું
જલ ભર્યા ખાબોચિયે સૂરજ ફફડતો હોય પણ
આર જે નિમાવત

નવમા ધોરણની પલ્લવી પંડ્યા
ઘંટ વગ્યો ને પરી થઈ ગઈ

ડો. અદમ ટંકારવી

આકાશી વાદળને નામે વાત તમને કહી દંઉ છું
કાં વરસો કાં વિખરાઓ આમ ગરજો શામાટે

મધુકર રાંદેરિયા

વાયરા વંટોળિયા કાંઈ કેટલા લઈ જાય પણ
ડાળ પરના ફૂલની ફોરમ કદી ખૂટતી નથી
ખામોશ મૌન બલોમી

થઈ ધાડપાડુ ત્રાટકે’સારિકા’ભલે અમાસ
ટહુકા ઉછેરવાનો અમારો સ્વભાવ છે
સાહિલ

છેક પરપોટા સમી છે જીંદગી પણ
નિત ઝરણાની ગણી છલછલ છલકવુ
ગુણવંત ઉપાધ્યાય

વાત દિલમાં છે આપણી છે રસિક
મુખથી નિકળે તો એ પરાઈ છે
રસિક મેઘાણી

છે સમસ્યા ઍટલી માણસ બધા મોંઘા મળે
બાથમાં લીધા પછી શૂળ જેવું છળ છળે
અશોકપુરી ગોસ્વામી

લાખ સૃષ્ટિની સુરાહિ છલક્યા કરે
જિંદગી પીનારની તળિયા વિનાનું જામ છે
શૂન્ય પાલનપુરી

છે દિશાઓ ધુંધળીને મંઝીલો નથી
શ્વાસના બળતા બપોરે ક્યાં લગી જશું
આહમદ મકરાણી

શ્રધ્ધાનો હો વિષયતો પુરાવાની શી જરૂર છે
કુરાનમાં તો ક્યાંય પયગંબરની સહી નથી
જલન માતરી

થઈ ગયો એકજ ચમત્કારે તુ ઈશ્વર
ને મને માનવી થતા બહુ વાર લાગી
જિગર ટંકારવી

ગળેથી જરા નીચે ઉતરીને તોફાની થઈ ગઈ
હતી જામમા સાવ સાદી મદિરા
મરીઝ

રહેશે મને મારી મુસીબતની દશા યાદ
બીજા બધા તો ઠીક આવ્યા ન ખુદા યાદ
મરીઝ

દરિયો હતો હોડી હતી ખારવો હતો
એવે સમે ખુદા તને પડકારવો હતો
અશોકપુરી ગોસ્વામી

તું ઉખાડી ફેંકવાની જીદ ના કર
પહાડ છે એ ખળભળ્યા તો બહુ થયુ
કૃષ્ણ દવે

યાદની દિવાલને હા તોડવી સહેલી નથિ
આંસુઓની રેત પર તારાં ચરણ બાકી રહે
જયન્ત પરમાર

હવે તો હું ય ખુલ્લો થઈ ગયો છું આભના જેવો
હવે તો બાથ ખુલ્લી પ્ર્થ્વીને ભરવાની ઉમર છે
જગદીશ વ્યાસ

છે સકળ એની જ હિલચાલો બધી
મન સમું છે કોણ બીજું મુત્સદી
અશોકપુરી ગોસ્વામી

દિલની વરાળ આંખથી ટપકી’તી જે રસિક
ડૂસકાં ભરી થમી ગઈ પાલવમં છેવટે
રસિક મેઘાણી

ટેવના દરિયા લીલાંછમ ભર્યા છે
તોયે કારણ ના હરણ તરસે મર્યા
શ્યામ સાધુ

યાદના જલતા દીવાઓથી વધ્યું અંધરુ
હું નર્યા મીણનો માણસ છું ઓગળી જઈશ
હરીન્દ્ર દવે

શી ખબર શા હાલ થાશે રાંક શ્રધ્ધાના હવે
તાગવા એને હજારો યાતનાઓ નીકળી
બેજાન બહાદર પરી

લીટી  એકાદ  સાંભળી  ઘાયલ
 હલબલી જાય  આદમી, તે ગઝલ
    અમૃત  ઘાયલ

   લાખ  રસ્તા ખૂલી  ગયા  જ્યારે
   બંધ  થઈ ગયા શ્વાસના  રસ્તા
   મનોજ  ખંડેરિયા

  તિમિરની  મહેક  લઈને  સાંજ  પણ  આવી  ઘરે  મારે
  તમારી   યાદથી   ત્યારે   વ્યથાઓ   ઝુમવા   લાગી
  મનોહર  ત્રિવેદી

   ગેરુ  છોને  ગગન પર  મન અગર  કંચન  રહે
   તો  પુણ્યના  મર્ગ પર  તું  ના કદી  નિર્ધન  રહે
   રસિક  મેઘણી

   હવે  એક  એવી  કબરમા  હું  પોઢું
   ન પૃથ્વી  બિછાવું  ન આકાશ  ઓઢું
   મકરંદ દવે

   ઢબૂક્યા  ઢોલ  ચોરે  અમે ગુલમોર  પીધો
   ખુશીથી  ખોબે  ખોબે અમે ગુલમોર પીધો
    દીપક  બારડોલીકર

   ધૂળનું ઘર, ધૂળના પથ,ધૂળ મિસૃત  ખાનપાન
   ધૂળમાં  રગદોળી  આ   શ્વાસની  સૌ  બાંધણી
   સુમન  અજમેરી

    નથી  હુ  સૂર કે  રોકી  શકો  તમે  મુજને
    હું બૂમ છું, અને કોઈ  કંઠથી પડાઈ જઈશ
    ભગવતીકુમાર  શર્મા

    શિકયત  ભૂલથી  પન  હું  નથી  કરતો  સિતમગરની
    નથી  હું  આપતો  ઉત્તર  કદી  પથ્થરનો   પથ્થરથી
    સૈયદ  રાઝ
    થઈ  જાય  પાંચેય  આંગળીઓ  તૂર્ત  કાગડો
    મૂઠી  તમે એ શહેરમાં  ખોલી  ને શું  કરો
     રમેશ  પરેખ

    રણ  તને  કેવી  મળી  છે પ્રેયસી
    ઉમ્રભરની  જે  તરસ  આપી  ગયા
    રાવજી  પટેલ

   યાદ  છે  તડાક  દઈને  તૂટવાની ક્ષણ મને
   વર્ષો થયા એ  વાત  ક્યાં  સાંધી  શક્યો  છું
    રૂક  રાણા

   છે  સલામત  સ્વપ્ન  કોનું  વિશ્વમાં
   ક્યાં  સિકંદરથી  કશી  છાયા  મળે
  ચંદુ  મહેસાનવી

    લાગણીની  કૂણી ડાળે  ફૂલ  ક્યાંથી  આવશે
    હસ્ત રેખાઓની  વચ્ચે  માત્ર  રણ  બાકી રહે
    જયન્ત  પરમાર
    હજુ  ખનખન  અવાજો  ઓરડે  પોઢ્યા નથી  ત્યાં  તો
    ફરીથી  પહેરતાં  કંકણ  ઘણી  તકલીફ  લાગે  છે
     હર્ષદ   ત્રિવેદી

5 comments November 21, 2007

દિવાળી આવી છે..

bhai-duj1.jpg 

દિવાળી આવી છે, ચાલો સૌ,
   અભિમાન , આડંબરને
માટીના માટલામાં મૂકી,
   ગામના ઊકરડે મૂકી દઈએ ..

પ્રેમના પ્યાલામાં  સ્નેહની સાકર ભરી,
  પડોશી પોતાના માની ,
  સ્નેહી-સગા સૌને પીવા આપીએ..

નવી આશા, ઊષાના આગમાન સાથ આવીછે,
ચાલો સૌ નિરાશા છોડી, એનું સ્વાગત  કરીએ.

અણગમાનો જૂનો વેષ ,  દ્વેષ ઉતારી,
ચાલો સૌ “સૌ ને ગમતા”સોહામણા વેશ પહેરીએ.

તારી-મારી વાતોનું  વહેમ વડુ,
    ચાલો સૌ  એને દૂર, દૂર  કોઈ
કૂંડાળામાં પધરાવી દઈએ ..

ઘર આંગણે ‘શુભ’ કંકુનો સાથિયો દોરી,
ચાલો  સૌનું  શુભ-આગમન કરી એ.

દિવાળી આવી  છે,
સાથ નવા વર્ષની શુભ-વધાઈ લાવી છે,
ચાલો સૌ ભેદ-ભાવ ભૂલી,
વિશ્વ-કુટુંબની ભાવના ધરી,
માનવી સૌ એક બનીએ.
 

1 comment November 7, 2007

ગુજરાતી શેર અંતાક્ષરીનો નૂતન કાર્યક્રમ-વિજય શાહ

ગુજરાતી સાહિત્ય સરિતા એ ભજવ્યો ગુજરાતી શેર અંતાક્ષરીનો નૂતન કાર્યક્રમ

4 નવેમ્બર 2007 નાં રોજ કો ઓર્ડીનેટર શ્રી દિપક ભટ્ટને ત્યાં યોજાયેલ સાહિત્ય સરિતાની નિયમિત માસિક બેઠક્માં કદાચ સમગ્ર વિશ્વમાં પ્રથમ ગુજરાતી શેર અંતાક્ષરીનો નૂતન કાર્યક્રમ યોજાયો.
આ બેઠકનાં સંવાહ્ક ડો.ભગવાનદાસ પટેલ હતા જેમણે બેઠક્નાં વિષય ‘આનંદ અને આભાર’ વિશે માહીતિ આપી અને સભા સંચાલન પ્રાર્થનાથી શરુ કર્યુ..મનોજ મહેતાએ તેમણે લખેલ તાજા ચાર મુક્તકો વાંચી આભાર વિષયને સંભાળ્યો. દેવિકાબેન ધ્રુવ અને સુમન અજમેરી નવતર વિષયો લાવ્યા હતા જેમા મહદ અંશે પ્રભુ તો કેટલો પાંગળો છે એવી માન્યતાને મજબુત કરતુ કાવ્ય સુમનભાઇએ કહ્યુ અને દેવિકાબેને પ્રતિ કાવ્ય સ્વરુપે જવાબ આપ્યો પ્રભુ તુ સર્વવ્યાપ્ત છે તારી અમને જરુર છે. શ્રી ધીરુભાઇ શાહે તેમની કવિતા સરળ ભાષામાં અને વિષય આધારીત રજુ કરી. વૈષ્ણવજન તો તેનેરે કહીયે નો ખુશવંતસીંઘ દ્વારા થયેલ અનુવાદ હ્યુસ્ટનનાં ગાંધી શ્રી અતુલ કોઠારીએ વાંચ્યો. (more…)

6 comments November 6, 2007

આપ સૌને અમારી નવી સાઇટ ઉપર આમંત્રણ

1 comment September 18, 2007

બીલ ગેટસને પત્ર. _આર. જોષી રજુ. વકીલખાન e mail courtsey -Mohmad ali Bhaidu (canada)

પ્રિય મિત્ર બીલ ગેટસ,

   પંજાબથી બંટા સિંઘ તરફથી આ પત્ર છે.

અમે અમારા ઘર માટે એક કોમ્પ્યુટર ખરીદ્યું છે,પરંતુ એમા કેટલીક ક્ષતિઓ છે,તે પ્રતિ આપનું ધ્યાન દોરું છું.

1 ઈંટરનેટ સાથે જોડાણ કર્યા બાદ ,અમે ઈ_મેલ એકાઉંટ ખોલવાનો વિચાર કર્યો.પરંતુ જ્યારે પણ હૉટમેલ પર  ફોર્મ ભરતી વખતે પાસવર્ડ ની કૉલમ ભરવાનો પ્રયત્ન કર્યો ત્યારે ફકત ****** દેખાય છે.,પણ બીજી જગ્યાએ અમે જે ટાઇપ કરીએં તે દેખાય છે. (more…)

6 comments September 15, 2007

આંબે આવ્યા મ્હોર !- ડો. દિનેશ ઓ.શાહ.

untitled.jpg              

               કોણે વાવ્યા’તા વૃક્ષ  કેરીના, કોણે નાખ્યા’તા ખાતર ખોર ?
               કોણે સિંચ્યા’તા નીર બપોરે, ભર ઉનાળે નાચ્યા’તા મોર !
               આજ મારે આંબે આવ્યા મ્હોર !

               હરખે મલકે કેરિયું નાની, ઝુલે ડોલમ ડોલ
               એની સુગંધનો દરિયો ઉછળે, આજે છોળમ છોળ !
               આજ મારે આંબે આવ્યા મ્હોર !
(more…)

14 comments September 3, 2007

નરસિંહ મહેતા - સંત ભક્ત કવિ કે વૈજ્ઞાનિક?

રાસલીલાનું વર્ણન લગભગ આપણે બધા જ જાણીયે છીએ.બાળકૃષ્ણની એ લીલા નરસિંહ મહેતાએ નરી આંખે, એક મશાલના અજવાળે જોઇ હતી.એનું પ્રમાણ ઇતિહાસમાં જોવા મળે છે.

શ્રીમદ ભાગવતમાં આલેખાયેલ આ રાસલીલા કંઇક આવા પ્રકારની હતી.એક કૃષ્ણ એમના સાથી ગોવાળિયાઓ સાથે રાસલીલા રમે છે.વ્રજની ગોપીઓ તેમાં સાથ આપે છે.દરેક ગોપીને લાગે છે કે કૃષ્ણ તેની સાથે છે.કૃષ્ણ પુરુષ (+ વીજભાર)છે.ગોપીઓ સ્ત્રીઓ(- વીજભાર)છે. સ્ત્રીઓને પ્રકૃત્તિ કહી છે.જેના પર આગળનો સંસાર નિર્ભર છે. સર્વશક્તિનો ભંડાર-ગોવાળિયાઓને સમતોલન નો ભાર(વીજભાર વિહીન) સોંપાયો છે. (more…)

2 comments August 28, 2007

ચીમન પટેલ- “ચમન”-ગુજરાતી સરસ્વત પરિચય ઉપર્

 

હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાનાં સંનિષ્ઠ અને અનુભવી હાસ્ય લેખક અને કવિ શ્રી ચીમન પટેલની નોંધ ગુજરાતી સારસ્વત પરિચય ઉપર લેવાઇ.

http://sureshbjani.wordpress.com/2007/08/20/chiman-patel/

અભિનંદન! ચીમનભાઇ…

1 comment August 21, 2007

મતલાના હલેશાથી વધતી કૃતિ-રાધેશ્યામ શર્મા

 dsc00225.jpg

 એક પળ- રાધેશ્યામ શર્મા સાથે-૨૦૦૪

જુલાઈ-2007માં -’તાદથ્યૅ’  મેગેઝીન પકટ થયેલ મારી એક ગઝલ “નભના નગર નિકળ્યા” નો આસ્વાદ
રણજીતરામ સુવર્ણચદ્રક વિજેતા શ્રી રાધેશ્યામ શર્મા લખેલ છે જે આપની સમક્ષ રજૂ કરતા આનંદ થાય છે. આશ છે કે આપ સૌ ને ગમશે અને આપનો પણ અભિપ્રાય  જરૂર આપશો.

********************************************

 ગઝલનો આસ્વાદ

નભના  નગર નીકળ્યાં ,તારલા સૌ જોવા નીકળ્યાં,
શેરીના  શ્વાસ  રુંધાયા, શ્વાન  સૌ  ભસવા નીકળ્યાં.

ક્યાં  હતું    મારું અહી    કોઈ    ઠેકાણું આ  શહેરમાં,
ઝાંઝવાના   ઝળ  મને   કેમ અહીં શોધવા  નીકળ્યાં ?

સગા-  સંબંધીની   ખુશામત  અહી  જિંદગી-ભર કરી,
કાંધો  આપવા  એ  ઘેરથી    બહું    મોડા   નીકળ્યાં.

ભલે   દોસ્તી  કરી   લીધી સરિતાએ   ભાન-ભુલી ને,
મોડું  થઈ ગયું, જ્યારે સાગરના પાણી ખારા નીકળ્યાં.

-વિશ્વદીપ બારડ

શીષૅકશૂન્ય કૃતિ, પહેલી નજરે તો સાવ સામાન્ય લાગે પણ એકે એક  મિસરો જરી ઝીણી નજરે જોઈ  તો સંવેદનાનો વ્યાપ આવે.
           અહી તો મતલો  જ અધિક ધ્યાનાહૅ છે-’નભના નગર નિકળ્યા’…
            ગુજરાતી કાવ્યસાહિત્યમાં  નગરકાવ્યો ઘણા છે. ત્યાં નગરની અંદર નભ વાણાયું, વણૅવાયું મળે કદી, પણ આહીં તો કવિએ નભના નગરને  નીકળતાં વણૅવ્યાં છે.સિટી ઑવ સ્કાય. ‘નીકળ્યાં’ લખ્યું છે તે ઉપરથી એક નહિ અનેક નગરોની વાત છે.
         નભ નક્કર નથી, વાદળસભર એક પ્રકારનો અવકાશ જ છે ક્યારેક પ્રવાહી હોવાનો અભાસ આપે. નભ અવકાશ રૂપે સ્થિર લાગે અને અભ્રની ગતિથી ચલિત લાગે. આમાં નગર નિકળ્યાં આલેખી ભાવકમાં  કુતુહલ રોપ્યું કે આ નગરો નીકળીને ક્યાં જશે ? પણ ઉત્તરાધૅ કડી એનું શમન કરેછે ‘તારલા સૌ જોવા નીકળ્યાં’. નભનગરો નીકળવાની આશ્ર્યૅકારક ઘટનાને તારકો સૌ જોવા નિકળ્યાં. એનું પરિણામ શું આવ્યું? શેરીના શ્વાસ રુંધાયા,શ્વાન સૌ ભસવા નીકળ્યાં.
      ઉધ્વૅ આકાશ સાથે સકલ તારકો નીકળી પડે ત્યારે નીચે પૃથ્વીવાસી શ્વાન ભયભીત બની ભસવા જ માંડેને. વળી એમનું ભસવાનું શેરીના શ્વાસ  રુંધામણ પછીનું  રિએકશન છે. નભનું નગર રૂપે અચાનક નીકળી પડવું અને એની લગોલગ તારલાનું જોવા નીકળવું-જેટલું સ્વભાવિક છે એટલું જ સાંકડી શેરીના શ્વાસનું રુંધાવું  ને શ્વાનોનું ભસવું સહજ છે.

      કવિની ખૂબી મતલામાં ભરી છે . બૃહદ વ્યાપક આકાશને , સંકીણૅ શેરી-શ્વાનની નક્કર વાસ્વિકતા સાથે સંકલિત કરી આપી.

      બીજો શે’ર નાયકની આત્મલક્ષી-આવારાઆનિકેતનાનો અંદાજ આપેછે-’ક્યાં હતું મારું અહીં કોઈ  ઠેકાણું આ શહેરમાં ?’ બીજી  તૂક પ્રશ્નાર્થી છે ‘ઝાંઝવાના જળ મને કેમ અહીં શોધવા નીકળ્યાં?’ અત્રે ‘ઝાંઝવાના જળ ; પ્રયોગથી નભ  તેમજ નગરને પરોક્ષ રીતિર મૃગજળ ક્વ્યાં છે.

     મત્લા બાદ લગભગ દરેક શે’ર સ્વતંત્ર છે. ત્રીજામાં , નાયકને સગાવહાલાંની  અપેક્ષા રાખતો દર્શાવ્યો છે. અપેક્ષા હતી એટાલે તો જિંદગી-ભર સગા-સંબંધીની ખુશામત કરી. પણ અંતે પરિણામ ?
          ‘કાંધો  આપવા એ ઘેરથી બહુ  મોડા નીકળ્યાં’
‘બહું મોડા ‘ નીકળવાની  પ્રસ્તુતિ ગઝલીઅતનો સામાન્ય મિજાજ દર્શાવે છે. જિંદગી આખી ખુશામત કરી કરી મરી ગયેલને સ્મશાન સગાં કાંધો  આપવા તો ગયાં પણ બહુ મોડા નીકળ્યાં ઘેરથી ! વાહ…

      ‘ભલે દોસ્તી કરી લીધી સરિતાએ ભાન -ભૂલીને ‘
(અહીં સરિતા, ભાનભૂલી ભોળી માનવસુતા રૂપે પ્રત્યક્ષ થઈ)

ત્રીજા શે’રની ‘મોડી પડવાની ઘટના મકતામાં રિપીટ કરીને રચનાનો પ્રભાવ અલ્પ કર્યો લાગશે-’મોડું  થઈ ગયું, જ્યારે સાગરના પાણી ખારા નીકળ્યાં’.(નીકળ્યાં’નો રદીફ સચવાયો છે સતત, પણ એટલું જ … વિશેષ કંઈ નહીં)

          પ્રસ્તુત કૃતિ કવિ વિશ્વદીપ  બારડને મત્લાના જોર ઉપર જ ધન્યવાદપાત્ર ઠરાવે એવી રચાઈ છે. ‘નભમાં નગર” અલકાનગરીની સ્મૃતિ કોઈક સુજ્ઞોને રણઝણાવશે, કદાચ.

-રાધેશ્યામ શર્મા -જુલાઈ-૨૦૦૭ ‘તાદથ્યૅ’ મેગેઝીન, ગુજરાત
 

2 comments August 17, 2007

Previous Posts



Recent Posts

Top Posts

વાંચકોના પ્રતિભાવ

nilam doshi on માર્ચ ૨૦૦૮ …
Harshawadan Shah on સ્વાગત
વિવેક ટ… on માર્ચ ૨૦૦૮ …
vijayshah on માર્ચ ૨૦૦૮ …
MAHESHCHANDRA NAIK on તમે યાદ આવ્…

વિભાગ

મહિનાવાર ટપાલ

Pages

વાંચકોની સંખ્યા

  • 18,680 વાંચકો

Spam Blocked

۞ Disclaimer

Locations of visitors to this page © અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. FeedsFull Comments